:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણી બાદ સામાન્ય જનતાના ખિસ્સાનું ભારણ વધશે..!!!. મોબાઇલ રિચાર્જ થશે મોંઘા : રિપોર્ટ

top-news
  • 13 Apr, 2024

 દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ હવે જોરથી વાગી રહયા છે. ચુંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીઓ લોકોને સસ્તા પ્રલોભન આપીને વૉટબેંકની રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ આ વૉટબેંકની રાજનીતિ વચ્ચે સામાન્ય જનતાના ખિસ્સાને અસર થાય તેવો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં લોકસભાની ચુંટણી બાદ મોબાઇલના ટેરિફ પ્લાનમાં વધારો થવા જઈ રહ્યો છે. 

ચૂંટણી બાદ ટેરિફ પ્લાન 15-17 ટકા મોંઘો થઈ શકે છે. નોંધનિય છે કે, દેશમાં  પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.ત્યારબાદ આ વધારો લાગુ થવાની સંભાવનાઓ જણાઈ રહી છે. 

રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં ટેરિફની કિંમતમાં 15-17 ટકાનો વધારો થવાની ધારણા છે. જો આ વધારો લાગુ થશે તો તેનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થશે . અને તેથી સામાન્ય જનમાણસ પર તેની અસર જોવા જરરૂ મળશે,તેનું કારણ હવે કોરોનાના કપરાકાળ પછી આમ જન માણસ પણ મોબાઈલનો ઉપયોગ કરતો થઈ ગયો છે, તેથી દરેક વ્યક્તિના ખિસ્સા પર તેની ચોક્કસ અસર જોવા મળશે.અગાઉ ડિસેમ્બર 2021માં મોબાઈલ કંપનીઓએ ટેરિફમાં લગભગ 20 ટકાનો વધારો કર્યો હતો.

 સૌથી મોંઘું રીચાર્જ કોનું હોઈ શકે છે જેનો હજુ સુધી કોઈ જવાબ નથી. પરંતુ રિપોર્ટ અનુસાર એરટેલ તેના ટેરિફમાં વધુ વધારો કરી શકે છે. વોડાફોન-આઈડિયા નાણાકીય સંકટનો સામનો કરી રહી છે તેથી તે તેના ટેરિફની કિંમત પણ ઝડપથી વધારી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

એક રિપોર્ટ સૂચવે છે કે ઝડપી ઇન્ટરનેટ માટે તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો તમે 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારે અત્યારે જે ચૂકવણી કરી રહ્યા છો તેના કરતાં તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. હાલમાં 5G ઇન્ટરનેટ મોબાઇલ કંપનીઓનું સીધું લક્ષ્ય હશે કારણ કે ઝડપી ઇન્ટરનેટની સાથે ગ્રાહકો ડેટા માટે વધુ ચૂકવણી પણ કરે છે. હવે આવી સ્થિતિમાં મોબાઈલ કંપનીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી તેથી આ અંગે સંપૂર્ણ રીતે કહી શકાય નહીં.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎