શેર વેચતાની સાથે જ ખાતામાં જમા થશે પૈસા: બજારમાં પ્રવાહિતાની સ્થિતિમાં સુધારો , સેબીની યોજના
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12032024_130229_sebi2812-sixteen_nine.jpg)
- 12 Mar, 2024
શેરબજારમાં ટ્રેડિંગ કરનાર કે વેચાણ કરનાર માટે આવ્યા સારા સમાચાર . અત્યારે શેરબજારમાં ટ્રેડીગ કરો કે કોઈપણ શેર વેચો તાત્કાલિક ઘોરણે તેની અસર ડીમેટ ખાતામાં જોવા મળે એવી સિસ્ટમ બનાવવામાં આવી છે. જ્યારે હાલમાં જો તમે કોઇ શેર વેચો છો , તો તેની રકમ બીજા દિવસે તમારા ડીમેટ ખાતામાં દેખાય થાય છે. વર્તમાન સિસ્ટમને ટી પ્લસ વન સેટલમેન્ટ(T+1) કહેવામાં આવે છે.
હવેથી ભારતના મૂડી બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અથવા સેબીએ 28 માર્ચથી વૈકલ્પિક ધોરણે T+ઝીરો ટ્રેડ સાયકલ સેટલમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. આનો અર્થ એ છે કે તમે જે દિવસે વેપાર કરો છો તે જ દિવસે ટ્રેડિંગની રકમ તમારા ડીમેટ ખાતામાં જમા થશે. હાલમાં ભારતીય શેરબજારમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાયકલ ચાલે છે.
ટી પ્લસ ઝીરો સેટલમેન્ટનો અર્થ એ છે કે શેર વેચ્યાના દિવસે જ તમારા બેંક ખાતામાં રકમજમા થઈ જશે અને તમે તરત જ પૈસાનો ઉપયોગ કરી શકશો.ભારતના કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ બે તબક્કામાં T+0 સેટલમેન્ટ લાગુ કરવાની યોજના બનાવી છે. T+0 સેટલમેન્ટના પ્રથમ તબક્કામાં, ભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે શેરબજારમાં બપોરના 1.30 વાગ્યા સુધીના તમામ સોદા માટે તે જ દિવસે સેટલમેન્ટની દરખાસ્ત કરી છે. જો તમે બપોરે 1:30 વાગ્યા પહેલા ટ્રેડ કર્યો હોય, તો તમારા ડીમેટ ખાતામાંના ફંડ અને તમારા ડીમેટ ખાતામાંથી સ્ટોક એ જ દિવસે સાંજે 4:30 વાગ્યા સુધીમાં આવી જશે.
બીજા તબક્કામાં, સેબીએ વૈકલ્પિક રૂપે ટ્રેડ સેટલમેન્ટ દ્વારા તાત્કાલિક વેપારની વ્યવસ્થા કરી છે. બીજા તબક્કામાં, જો તમે બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડ કર્યો હોય, તો પણ ભંડોળ તમારા ડીમેટ ખાતામાં આવશે. સેબીના વડાએ કહ્યું છે કે તબક્કા વનમાં વૈકલ્પિક ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં લાગુ કરી શકાય છે. શેરબજારમાં વેપાર કરતા રોકાણકારો અને વેપારીઓ માટે ત્વરિત પતાવટનો અર્થ બજારમાં પ્રવાહિતાની સ્થિતિમાં સુધારો થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ