લોરેન્સ બિશ્નોઈએ આપી હતી ધમકી, શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan05122023_104917_05_12_2023-sukhdev_singh_23597237.jpeg)
- 05 Dec, 2023
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, તેમના ગનમેન નરેન્દ્રને પણ ગોળી મારવામાં આવી છે. હુમલાખોરોએ ગોગામેડીને ચાર ગોળીઓ મારી છે. આ ઘટના શ્યામ નગરમાં દાના પાની રેસ્ટોરન્ટની પાછળ ગોગામેડીના ઘરે જ બની છે.
પોલીસનું કહેવું છે કે, સુખદેવ સિંહ ગોગામેડી મંગળવાર બપોરે અંદાજિત 1:45 વાગ્યે શ્યામનગર જનપથ સ્થિત પોતાના ઘરની બહાર ઉભા હતા. આ દરમિયાન સ્કૂટર પર બે હુમલાખોર આવ્યા હતા. તેમણે ગોગામેડી પર ફાયરિંગ કરી દીધું.
દાવો છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ અગાઉ ધમકી આપી હતી. જેને લઈને સુખદેવ સિંહે જયપુર પોલીસને આવેદન આપ્યું હતું. જણાવાય રહ્યું છે કે, શ્યામ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.