:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

આંધ્રના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 110 કિમીની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદ-પૂરથી હાહાકાર

top-news
  • 05 Dec, 2023

મિચોંગ વાવાઝોડાનું લેન્ડફોલ થઈ ગયું છે. મંગળવારે બપોરની આસપાસ વાવાઝોડું આંધ્રપ્રદેશના બાપટલાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. 110 કિમીની ઝડપે વાવાઝોડું આંધ્રના દરિયા કિનારે ત્રાટક્યું હતું. જેવું વાવાઝોડું ત્રાટક્યું કે તરત ભારે વરસાદ શરુ થઈ ગયો હતો અને જોતજોતામાં પૂર આવ્યું હતું.

ગઈકાલે સમાચાર હતા કે ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદ થયો છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ખરાબ હવામાનના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે, કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, સોમવાર, 4 ડિસેમ્બરના રોજ ચક્રવાત મિચોંગ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું.

ચેન્નાઈમાં ઘણા મેટ્રો સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. સોમવારે, ચેન્નઈ પોલીસે કહ્યું કે તેમને ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાંચ મૃત્યુના અહેવાલ મળ્યા છે. આ સિવાય એક અહેવાલ મુજબ કનાથુર વિસ્તારમાં નવી બનેલી દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે અને ચુલામેડુની સરકારી શાળામાં કામ કરતા 50 વર્ષીય સેલ્વમ પણ વરસાદના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચેન્નઈમાં વાવાઝોડાને કારણે 8થી વધુ લોકોના મોત થયા છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎