:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

દુનિયા ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરે, ગાઝા મુદ્દે સાઉદી પ્રિન્સે ઈઝરાયેલની ઝાટકણી કાઢી

top-news
  • 22 Nov, 2023

દક્ષિણ આફ્રિકાએ બોલાવેલી બ્રિક્સ દેશોની એક વર્ચ્યુલ મિટિંગમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને ઈઝરાયેલની આકરી ઝાટકણી કાઢી હતી. આ બેઠકમાં પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દુનિયાના તમામ દેશોએ ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરવુ જોઈએ. સાથે સાથે 1967ની સીમાઓના આધારે પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ. સ્થાયી શાંત માટે આ બહુ જરુરી છે. બે દેશો સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રિય નિર્ણયો લાગુ કર્યા વગર આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપના કરવી મુશ્કેલ છે.

તેમણે કહ્યુ હતુ કે, ગાઝામાં થઈ રહેલા વોર ક્રાઈમને દુનિયાના તમામ દેશોએ મળીને રોકવા જોઈએ તેમજ ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટાઈનના લોકોને વિસ્થાપિત કરવાની કાર્યવાહી બંધ થવી જોઈએ. પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને માનવાધિકારોના મુદ્દે પણ બેવડા માપદંડો અપનાવવામાં આવી રહ્યા હોવાનો ઈશારો કરીને કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનના નાગરિકો પર અત્યારે ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા અત્યાચારો પર દુનિયા ચૂપ્પી સાધીને બેઠી છે. આપણે એક મોટી માનવીય ત્રાસદીનો સામનો કરી રહ્યા છે. જેનાથી સાબિત થયુ છે કે, યુએન અને દુનિયા ઈઝરાયેલના મામલે નિષ્ફળ ગઈ છે. પેલેસ્ટાઈનનો કેસ દુનિયાના માનવાધિકારોના મુદ્દે બેવડા માપદંડનુ ઉદાહરણ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎