:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

પનૌતીએ મેચ હરાવી દીધી.... રાહુલ ગાંધીના નિવેદનથી રાજકીય ગરમાઓ, ભાજપે તીખા શબ્દોમાં કર્યો વિરોધ, કહ્યું માફી માંગે નહીંતર

top-news
  • 21 Nov, 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે રાજસ્થાનનાં જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં. રાહુલ ગાંધી જનસભામાં PM મોદીનો ઉલ્લેખ કરીને નિશાન સાધી રહ્યાં હતાં. આ દરમિયાન જનસભામાં કેટલાક લોકો પનોતી-પનોતીની બૂમો પાડવા લાગ્યાં. તે બાદ રાહુલ ગાંધીએ કહ્યું રાહુલે કહ્યું કે, 'આપણાં છોકરાઓ વર્લ્ડ કર જીતી જાત પણ પનોતીએ હરાવી દીધું.' તેમણે કહ્યું કે, 'ટીવીવાળા આ નહીં કહે પણ જનતા જાણે છે.'  જો કે આ બાદ ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો.

યૂપી કોંગ્રેસનાં અધ્યક્ષ અજય રાયે વર્લ્ડ કપમાં ભારતની હારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ' મોદીને જોઈને ખેલાડીઓ પ્રેશરમાં આવી ગયાં. મોદીએ મેચમાં ન જવું જોઈતું હતું. મોદીનાં કારણે આપણે હારી ગયાં છીએ કારણકે ખેલાડીઓ દબાણમાં આવી ગયાં હતાં. એ જ હારનું કારણ હતું.'

રાહુલ ગાંધીનાં વિવાદિત નિવેદન બાદ ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે કહ્યું કે, 'રાહુલ ગાંધી PM મોદી માટે જે પ્રકારનાં શબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે તે અશોભનીય છે. રાહુલ ગાંધીએ મોદીજીથી માફી માંગવી પડશે. નહીંતર અમે દેશમાં તેને મોટો મુદો બનાવશું.'

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎