:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પાકિસ્તાને ભારતને આપી આવી ધમકી: ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ મળશે, નેતાઓ પાક.ને સ્થાનિક રાજકારણમાં લઈ જવાનું બંધ કરે

top-news
  • 15 May, 2024

પાકિસ્તાને આજે ભારતને ચીમકી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારતના નેતાઓએ તેમના ચૂંટણી લાભ માટે પાકિસ્તાનને સ્થાનિક રાજકારણમાં લઈ જવાનું બંધ કરી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા પાકિસ્તાનને બંગડી પહેરાવવાનું નિવેદન આપ્યું હતું. તેના કારણે પાકિસ્તાન હાલ રોષે ભરાયું છે. વધુમાં ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ આપતા તે ખચકાટ અનુભવશે નહીં.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પાકિસ્તાન અંગે વડાપ્રધાન મોદી અને અન્ય કેબિનેટ મંત્રીઓની ટિપ્પણીઓને લઈને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતીય નેતાઓના આક્રમક નિવેદનો પર ધ્યાન આપવાનું આહ્વાન કરીએ છીએ. આ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે. 

પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય નેતાઓ દ્વારા પાકિસ્તાન વિરોધી નિવેદનબાજીમાં વધારો થયો છે, જેને પાકિસ્તાન નકારે છે. પાકિસ્તાની પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, 'અફસોસની વાત એ છે કે આ નિવેદનો પાકિસ્તાન પ્રત્યે નફરત અને ઊંડો જુસ્સો દર્શાવે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ નિવેદનો જાણીજોઈને કરીને નેતાઓ ચૂંટણીલક્ષી લાભ માટે અતિ રાષ્ટ્રવાદનો લાભ લેવા માગે છે. આ નિવેદનો વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટીકાઓથી ધ્યાન હટાવવાનો ભયાવહ પ્રયાસ પણ સૂચવે છે. ઝહરા બલોચે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે પાકિસ્તાનની વ્યૂહાત્મક ક્ષમતાનો હેતુ તેની સાર્વભૌમત્વ અને તેની ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા કરવાનો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎