:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ફ્લાઈટ્સમાં ફરીને ચોરી કરતો ચોર: અત્યાર સુધીમાં 200 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી, વૃદ્ધોને ટ્રાવેલિંગ દરમિયાન બનાવે છે ટાર્ગેટ

top-news
  • 14 May, 2024

બસ અને ટ્રેનમાં નહિ પરંતુ ફ્લાઈટ્સમાં વૃદ્ધોને ટાર્ગેટ કરીને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરતા એક ચોરની દિલ્હી પોલીસે આજે ધરપકડ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે આ ચોર એક જ વર્ષમાં 400થી વધુ ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચુક્યો છે. વિચાર માંગી લે તેવી વાત એ પણ છે કે આ ચોર પાસે દિલ્હીના પહાડગંજમાં એક ગેસ્ટ હાઉસ પણ છે. દિલ્હી પોલીસ દ્વારા પકડી પાડેલ ચોરનું નામ રાજેશ કપૂરે છે. 

કપૂરે ચોરી કરવા માટે ગયા વર્ષે 110 દિવસમાં 200 પ્લેનમાં મુસાફરી કરી હતી. ચોરે સ્વીકાર્યું કે તે આ અગાઉ ટ્રેનમાંથી સોના-ચાંદીના આભૂષણો ચોરી કરતો હતો. પરંતુ હવે પ્લેનમાં ચોરી કરે છે. ચોરી કરવા માટે પોતાની જાતને ઉપગ્રેડ કરી અને પછી પ્લેનમાં ચોરી કરવાનું શરૂ કર્યું. આઈજીઆઈ એરપોર્ટના ડીસીપી ઉષા રંગરાનીના જણાવ્યા અનુસાર હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં ક્યારેય ચોરીની ફરિયાદ નોંધાઈ નથી.

હૈદરાબાદમાં રહેતી સુધારાની પથુરીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેણે હૈદરાબાદથી આઈજીઆઈ એરપોર્ટ સુધી એર ઈન્ડિયાના પ્લેનમાં મુસાફરી કરી હતી. કારણકે તેને નવી દિલ્હીથી યુએસએની ફ્લાઇટ પકડવાની હતી. આ સફર દરમિયાન તેની પાસે રહેલી એક હેન્ડબેગ જેમાં 7 લાખ રૂપિયાના સોનાના આભૂષણની ચોરી થઈ હતી. બીજી તરફ અમેરિકામાં રહેતા વિરેન્દરજીત સિંહે જણાવ્યુ કે 22 ફેબ્રુઆરી 2024ના રોજ તેણે અમૃતસરથી આઈજીઆઈ એરપોર્ટ સુધી મુસાફરી કરી હતી. આ યાત્રા દરમિયાન તેના બેગમાં રહેલા 20 લાખના આભૂષણોની ચોરી થઈ ગઈ હતી. 

કેસની તપાસ માટે એર ઈન્ડિયાના અધિકારીની મદદથી આઈજીઆઈ એરપોર્ટ, અમૃતસર એરપોર્ટ અને હૈદરાબાદ એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ઘણા બધા સીસીટીવી વીડિયો ફૂટેજની તપાસ કર્યા બાદ એક શંકાસ્પદ વ્યક્તિ બે ફ્લાઇટમાં ચડ્યો હતો અને બંને ફ્લાઇટમાં ચોરી થઈ હતી.     

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎