CM કેજરીવાલને ગૃહમંત્રી અમિત શાહનો જવાબ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે તેમાં કોઈ મૂંઝવણ નથી
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_114955_Amit Shah.webp)
- 11 May, 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેલંગાનાના પ્રવાસે છે. શનિવારે તેમણે એક રેલીને સંબોધિત કરી અને પછીથી એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. અમિત શાહે દાવો કર્યો કે આ વખતે બીજેપી તેલંગાનામાં 10થી વધુ સીટો જીતશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર તેમણે કહ્યું કે પીએમ મોદી આ ટર્મ પૂરી કરશે અને દેશનું નેતૃત્વ કરતા રહેશે.
પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે હું આજે બધાને કહેવા માંગું છે કે ત્રણ તબક્કામાં બીજેપીના નેતૃત્વમાં એનડીએના તમામ સાથી પક્ષો 200 સીટોની નજીક પહોંચી ગયા છે. ચોથો તબક્કો એનડીએ માટે ખૂબ જ સારો છે. અમને સૌથી વધુ સફળતા ચોથા તબક્કામાંથી મળશે અને અમે 400ની પાર તરફ આગળ વધીશું.
ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં પણ મતદાન છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે બંને રાજ્યોમાં એનડીએ અને બજેપી સંપૂર્ણ સફાયો કરવા જઈ રહી છે અને મોટી મજબૂતાઈની સાથે અમે આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે જ્યારે 4 જૂને પરિણામ આવશે તો દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધપ્રદેશ, તેલંગાના, તમિલનાડું અને કેરળમાં સૌથી મોટા પક્ષ તરીકે બીજેપી હશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ