:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પ્રિયંકા ગાંધીના PM મોદી પર પ્રહાર: વડાપ્રધાન મોદીને બાળક સાથે સરખાવ્યાં, કહ્યું- ચૂંટણી વખતે બાળકની જેમ રડે છે

top-news
  • 11 May, 2024

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે મહારાષ્ટ્રના નંદૂરબારમાં લોકોને સંબોધ્યા હતા. સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન ચૂંટણી સમયે મંચ પર આવીને નાના બાળકની જેમ રડવા લાગે છે અને કહે છે કે મને ગાળ દીધી. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના ભાષણો સાવ ખોખલા છે. તેઓ રાજનીતિનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા માટે જ કરે છે, લોકોની સેવા કરવા માટે નહીં. ઉલ્લેખનીય છે કે નંદૂરબાર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પાડવીના સમર્થનમાં તેમણે સભાને સંબોધી હતી.

ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જે પણ બોલે છે, તે ખોખલી વાતો છે જેમાં કોઈ વજન નથી હોતું. મને નરેન્દ્ર મોદીની કોઈ આદિવાસીના ઘરે જઈને તેમની સમસ્યાઓ સમજવાની એક તસવીર બતાવો. તમારી સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરવું રાજકીય નેતાઓનું કર્તવ્ય છે. ભાજપ આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન નથી કરતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને નવા સંસદ ભવનના ઉદ્ધાટન કરવા અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાની મંજૂરી ન અપાઈ. જ્યારે હકીકતમાં સન્માન આપવાની વાત આવે છે ત્યારે મોદીજી પાછળ ખસી જાય છે.

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મોદીજી એક બાળકની જેમ રડે છે અને કહે છે કે તેમની સાથે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે. અરે હિંમત રાખો મોદીજી, આ જાહેર જીવન છે. ઈન્દિરા ગાંધીથી શીખો. દુર્ગા જેવી મહિલા, જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા. તેમની બહાદુરી, સાહસ અને દૃઢ સંકલ્પમાંથી શીખો. જોકે તમે તો તેમને રાષ્ટ્રવિરોધી કહો છો, તમે તેમની પાસેથી શું શીખવાના. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎