કેજરીવાલ હનુમાનજીના દર્શન કરી ચૂંટણીપ્રચાર શરૂ કરશે: જેલમાંથી બહાર આવ્યા પછી સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટ; કહ્યું- રેલીમાં જરૂર આવજો
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_055251_Kejriwal new.webp)
- 11 May, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે આજે x પર પોસ્ટ કરી છે. આ ટ્વિટમાં તેમણે પોતાના ચૂંટણી પ્રચારની વિગતો આપી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. તેના પગલે હવે કેજરીવાલ 1 જૂન સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે.
हनुमान जी के आशीर्वाद से, करोड़ों करोड़ों लोगों की दुआओं से और सुप्रीम कोर्ट के judges के न्याय की वजह से आप सब लोगों के बीच लौट कर मुझे बेहद ख़ुशी हो रही है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 11, 2024
आज मिलते हैं -
11 am - हनुमान मंदिर, कनॉट प्लेस
1 pm - प्रेस कांफ्रेंस, पार्टी ऑफिस
4 pm - रोड शो - दक्षिण दिल्ली -…
કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું છે કે હનુમાનજીના આર્શીવાદથી, કરોડો લોકોની દુઆથી અને સુપ્રીમ કોર્ટના જજના ન્યાયના કારણે તમારા બધાની વચ્ચે આવવાનો મોક મળ્યો છે. ખૂબ જ ખુશી થઈ રહી છે. સીએમએ પોતાના કાર્યક્રમ અને રેલીની માહિતી આપતા પોસ્ટમાં લખ્યું કે તમે બધા જરૂર આવજે.
અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર પણ જશે. આ મંદિર અરવિંદ કેજરીવાલ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સંકટમોચન હનુમાનજીના દર્શન દરમિયાન તેમની પત્ની અને પાર્ટીના અન્ય નેતાઓ પણ તેમની સાથે હાજર રહેશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ