:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુનને ચૂંટણી આયોગનો જવાબ: ECએ કહ્યું- ચૂંટણી સંબંધી ડેટા જાહેર કરવાનો કોંગ્રેસ નેતાનો આરોપ તદન પાયાવિહોણો

top-news
  • 10 May, 2024

ભારતીય ચૂંટણી આયોગે અયોગ્ય વહીવટ અને મતદાનનો ડેટા જાહેર કરવામાં મોડું થતું હોવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આરોપને ફગાવ્યો છે. ચૂંટણી આયોગે કહ્યું કે ખડગેનો આરોપ આધાર વિનોનો, તથ્યો વગરનો અને ભ્રમ ફેલાવવાના પ્રયત્નો પૈકીનો એક હોવાનું લાગે છે. વધુમાં આયોગે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો મતદાનની ટકાવારી પર વિપક્ષી નેતાઓને લખવામાં આવેલો પત્ર પૂર્વગ્રહને આગળ વધારવાનો એક પ્રયત્ન જ છે. 

ચૂંટણી આયોગે અયોગ્ય મેનેજમેન્ટ, મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબ સંબંધી ખડગેના આરોપોને ફગાવ્યા અને આરોપોને આધાર વગરના અને તથ્યો વિહોણા  ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગે મતદાન ડેટા  પર ભારતીય ગઠબંધનના નેતાઓને સંબોધીને ખડગેએ લખેલા પત્રની નોંધ લીધી હતી અને તેને અયોગ્ય હોવાની વાત કહી છે. આયોગે ખડગેની દલીલને સ્પષ્ટ રીતે ફગાવી દીધી છે. 

આ અંગે ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે ચૂંટણી હાલ ચાલી રહી છે, તે દરમિયાન મતદાન ડેટા જાહેર કરવાના સંબંધમાં કોઈ પણ પ્રકારના તથ્ય વગરના આરોપ લગાવવા તે નિષ્પક્ષ ચૂંટણી પર સવાલ કરવા બરાબર છે. તેનાથી ભ્રમ ફેલાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎