સામ પિત્રોડા પછી મણિશંકરે કર્યો બફાટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું- પાકિસ્તાનની ગરિમા જાળવો નહિતર ભારત પર થશે પરમાણુ હુમલો
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10052024_045153_Manishakar.webp)
- 10 May, 2024
વારસાગત ટેક્સ અને ભારતીયોને લઈને રંગભેદની ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા પછી હવે કોંગ્રેસના બીજી એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે.
મણિશંકર અય્યરે કહ્યું ભારતે પાકિસ્તાનની ઈજજ્ત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશીની પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેની ગરમી જાળવીશું નહીં તો તે ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.
અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાનની પાસે પણ પરમાણુ છે. મને એ વાતનો ખ્યાલ આવતો નથી કે હાલની સરકાર એ વાત શાં માટે કહે છે કે અમે પાકિસ્તાની સાથે વાત કરીશું નહિ કારણ કે તે આતંકવાદી છે. એ સમજવું જરૂરી છે આતંકવાદને ખત્મ કરવા માટે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. નહિતર પાકિસ્તાન એવું વિચારશે કે ભારત અહંકારની સાથે અમને વિશ્વમાં નીચુ બતાવી રહ્યું છે. એવામાં પાકિસ્તાનમાં કોઈ પણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ