:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ધાર્મિક લધુમતીઓના હિસ્સાનું દેશવ્યાપી વિશ્લેષણ: છેલ્લા 65 વર્ષમાં હિન્દુઓની વસ્તી 8% ઘટી, મુસ્લિમોની વસ્તી 14.09 ટકા વધી

top-news
  • 09 May, 2024

દેશમાં છેલ્લા 65 વર્ષમાં હિન્દુઓની વસ્તી 8% ઘટી છે. બીજી તરફ મુસ્લિમ વસ્તી 9.84%થી વધીને 14.09% થઈ છે. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. 'ધાર્મિક લધુમતીઓના હિસ્સાનું દેશવ્યાપી વિશ્લેષણ' નામથી પબ્લિશ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પારસી અને જૈન સમુદાય સિવાય ભારતના તમામ ધાર્મિક લઘુમતીઓની વસ્તીમાં કુલ 6.58% નો વધારો થયો છે. દેશની આઝાદી પછી 1950થી 2015ની વચ્ચે હિંદુઓની વસ્તી ઘણી ઘટી છે.

બીજી તરફ મુસ્લિમોની વસ્તીમાં ઓવરઓલ 43.15%નો વધારો જોવા મળ્યો છે. મુસ્લિમોની 1950માં 9.84% રહેલી વસ્તી 14.09% પર પહોંચી ગઈ છે. ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તીની ભાગીદારી 2.24%થી વધીને 2.36% થઈ છે. જ્યારે શીખ સમુદાયની વસ્તી 1.24%થી વધીને 1.85% થઈ છે.

રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં હિંદુ વસ્તી 1950માં 84.68% હતી, જે 2015 સુધી ઘટીને 78.06% થઈ ગઈ. જ્યારે મુસ્લિમ વસ્તીનો ભાગ 1950માં 9.84%થી વધીને 2015માં 14.09% થઈ ગયો હતો. આઝાદીના ત્રણ વર્ષ બાદ ખ્રિસ્તી સમુદાયની દેશમાં વસ્તી 2.24% હતી, જે 2015માં વધીને 2.36% થઈ હતી. 1950માં શિખ સમુદાયના લોકોની સંખ્યા દેશમાં 1.24% હતી, તેમાં વધારો જોવા મળ્યો અને 2015 સુધી તે 1.85% થઈ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎