ભાજપના સાંસદ સાક્ષી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન: ચાર પત્નીઓ અને 40 બાળકો ભારતમાં ચાલશે નહીં, મુસ્લિમો વધશે તો ખતરો
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09052024_114707_Sakshi Maharaj.webp)
- 09 May, 2024
દેશમાં હાલ જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમ વસ્તી વધવી તે લોકશાહી ધરાવતા દેશ માટે ધાતક સાબિત થઈ શકે છે. ચાર પત્નીઓ અને 40 બાળકો ભારતમાં ચાલશે નહીં.
ઉન્નાવ લોકસભા સીટ પરથી સાંસદ ડો.સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજે કહ્યું કે જ્યારથી મે વસ્તીના આંકડાઓ સમાચારમાં વાંચ્યા છે, ત્યારથી હું ચોંકી ગયો છું. હિન્દુસ્તાનમાં હિન્દુઓની જ વસ્તી ઘટવી તે સારો સંકેત ન કહી શકાય. દેશનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે-જ્યારે દેશમાં હિન્દુઓ ઘટ્યા છે ત્યારે દેશનું વિભાજન થયું છે.
ભારતમાં મુસ્લિમ વસ્તી વધવી તે લોકશાહી ધરાવતા દેશ માટે ધાતક સાબિત થઈ શકે છે. વસ્તીને લઈને સુપ્રીમ કોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચુકી છે. ઈતિહાસ પર એક નજર કરવામાં આવે તો દેશના વિભાજન સમયે પાકિસ્તાનમાં 23.5 ટકા હિન્દુઓની વસ્તી હતી, જે ઘટીને લગભગ 2.5 ટકા રહી ગઈ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ