:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

શરદ પવારે આપ્યું વિવાદાસ્પદ નિવેદન: કહ્યું- વૈચારિક રીતે અમે ગાંધી-નેહરુના અનુયાયી, કોંગ્રેસ અને અમારી વચ્ચે અંતર નથી

top-news
  • 09 May, 2024

હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેવામાં મહારાષ્ટ્રમાં શરદ પવારના એક નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા પવારે કોંગ્રેસ અને ક્ષેત્રીય પાર્ટીઓના ભવિષ્ય અંગે મોટી વાત કહી છે. પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વૈચારિક રીતે અમે ગાંધી અને નેહરુના અનુયાયી છીએ. કોંગ્રેસ અને અમારી વચ્ચે કોઈ જ અંતર નથી. 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ ચંદ્ર પવારે દાવો કર્યો છે કે આગામી સમયમાં ઘણા ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ છે કે પવારની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થશે. એટલું જ નહીં પવારના આ સંકેત પર રાજ્યમાં રાજકીય બયાનબાજીનો તબક્કો શરૂ થયો છે. કોંગ્રેસ પાર્ટીમાં ઘણા વર્ષો વિતાવ્યા બાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી પરંતુ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ બની ગયા છે. શરદ પવારે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. હવે દિગ્ગજ નેતાના આ નિવેદનથી રાજકારણમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે અચાનક લોકસભા ચૂંટણી વચ્ચે પવારને વિલયનો વિચાર કેમ આવ્યો? તેની પાછળ કોઈ ચાલે છે કે કેમ?  

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ઠાકરેએ કહ્યું કે તેની પાર્ટી નાની નથી. તેમના સહયોગી સંજય રાઉતે કહ્યું કે, કોઈ બીજી પાર્ટીમાં વિલય કરવાનો સવાલ જ નથી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંનેની પાર્ટી તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હવે તેઓ એક જૂથનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાઉતે કહ્યું કે પવારે સ્પષ્ટતા કરવી જોઈએ કે, શું તેઓ પોતાના પક્ષની વાત કરી રહ્યાં છે? 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎