:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સરવેમાં ચોંકાવનારો ખુલાસો: કોરાનાની સારવારમાં ઓવર એન્ટીબાયોટિક્સથી સુપર બગ સૌથી વધુ ફેલાયો હોવાનો નવો ઘટસ્ફોટ

top-news
  • 09 May, 2024

તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા એક સ્ટડી કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં કોરોના દરમિયાન એન્ટી બાયોટિક દવાથી વધુ કેટલું નુકસાન થયું છે તે અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ઓવર એન્ટીબાયોટિક્સથી સુપર બગ એટલે કે એન્ટીબાઈક્રોબિયલ રેજિસ્ટેંસ(એએમઆર) વધુ ફેલાય છે. એએમઆર પ્રતિકાર કરવાની ક્ષમતા છે, જે વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક શરીરમાં સર્જાવવાથી થાય છે. 

તેના પગલે શરીર પર દવાઓની વિશેષ કરીને એન્ટીબાયોટિક્સની અસર ઓછી થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્વમાં જે કોવિડ પોઝિટિવ થયેલા લોકો હોસ્પિટલમાં ભરતી થયા હતા, તેમાંથી માત્ર 8 ટકાને બેક્ટેરિયલ સંક્રમણ થયું હતું. તેમને એન્ટી બાયોટિક્સની જરૂર હતી.

વધારાની સાવચેતીના ભાગ તરીકે 75 ટકા દર્દીને એન્ટીબાયોટિક દવાઓનો ડોઝ આપવામાં આવ્યો હતો. પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં સૌથી ઓછા લગભગ 33 ટકા દર્દીઓને એન્ટીબાયોટિક અપાઈ હતી. બીજી તરફ આફ્રિકાના દેશોમાં તેનું પ્રમાણ 83 ટકા હતું. અમેરિકા અને યુરોપમાં ડોક્ટરોએ વર્ષ 2020થી 2022 દરમિયાન સૌથી ઓછી એન્ટીબાયોટિક દવાઓ લખી આપી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎