વિશ્વ આરોગ્ય સંસ્થાના સરવેમાં ચોંકાવનારો ખુલાસો: કોરાનાની સારવારમાં ઓવર એન્ટીબાયોટિક્સથી સુપર બગ સૌથી વધુ ફેલાયો હોવાનો નવો ઘટસ્ફોટ
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09052024_065156_Who.webp)
- 09 May, 2024
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા એક સ્ટડી કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં કોરોના દરમિયાન એન્ટી બાયોટિક દવાથી વધુ કેટલું નુકસાન થયું છે તે અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ઓવર એન્ટીબાયોટિક્સથી સુપર બગ એટલે કે એન્ટીબાઈક્રોબિયલ રેજિસ્ટેંસ(એએમઆર) વધુ ફેલાય છે. એએમઆર પ્રતિકાર કરવાની ક્ષમતા છે, જે વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક શરીરમાં સર્જાવવાથી થાય છે.
તેના પગલે શરીર પર દવાઓની વિશેષ કરીને એન્ટીબાયોટિક્સની અસર ઓછી થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્વમાં જે કોવિડ પોઝિટિવ થયેલા લોકો હોસ્પિટલમાં ભરતી થયા હતા, તેમાંથી માત્ર 8 ટકાને બેક્ટેરિયલ સંક્રમણ થયું હતું. તેમને એન્ટી બાયોટિક્સની જરૂર હતી.
વધારાની સાવચેતીના ભાગ તરીકે 75 ટકા દર્દીને એન્ટીબાયોટિક દવાઓનો ડોઝ આપવામાં આવ્યો હતો. પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં સૌથી ઓછા લગભગ 33 ટકા દર્દીઓને એન્ટીબાયોટિક અપાઈ હતી. બીજી તરફ આફ્રિકાના દેશોમાં તેનું પ્રમાણ 83 ટકા હતું. અમેરિકા અને યુરોપમાં ડોક્ટરોએ વર્ષ 2020થી 2022 દરમિયાન સૌથી ઓછી એન્ટીબાયોટિક દવાઓ લખી આપી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ