:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ડન્કી રૂટથી જમૈકા ઘુસેલા ભારતીયોને રવાના કરાયા: નોર્મન મેનલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટ્સમાં આવી પહોંચ્યા હતા 253 લોકો

top-news
  • 09 May, 2024

જમૈકાના નોર્મન મેનલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટ્સથી 6 મેના રોજ 253 જેટલા ભારતીય ગેરકાયદેસર રીતે આવી પહોંચ્યા હતા. આ તમામને આજે ભારત મોકલી દેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ટેલિકોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી ડાર્લી વાઝે આપી છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટ 6 મેના રોજ જ પરત ભારત  આવવાની હતી, જોકે ફ્લાઈટ પ્લાનના પગલે તેને પરત આવવામાં વિલંબ થયો હતો. 

વાઝે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ચાર્ટડ ફ્લાઈટ યુએસસી જીએમબીએચમાં જ ભારતના 253 પેસેન્જર્સને પરત મોકલી દેવામાં આવ્યા છે. સવારે 11.46 કલાકે પ્લેને અહીંથી ઉડાન ભરી હતી. ભારત પરત ફરવાનો તમામ ખર્ચ પેસેન્જર્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

ચાર્ટડ ફ્લાઈટમાં દર્શાવવામાં આવેલા 2 પેસેન્જર્સ એરપોર્ટ ઈમિગ્રેશન અધિકારી સમક્ષ હાજર થયા ત્યારે તેમની પાસેની ટ્રાવેલ ડિટેલ્સ મિસિંગ હતી. એમ કહેવાય છે કે આ તમામ પ્રવાસીઓ ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે અગાઉ આવું જ એક વિમાન ફ્રાન્સમાં ઈંધણ માટે ઉતર્યું ત્યારે તેઓ બધા ડન્કી રૂટવાળા માલુમ પડતા વિમાન અટકાવી દેવાયું હતુ અને જેતે દેશની એમ્બેસીને વિમાનમાં રહેલા મુસાફરોની માહિતી આપી હતી. ફ્રાન્સમાં એક નવજાત બાળક પણ હતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎