ભારતે લગાવ્યો કેનેડા પર આરોપ: ઓન્ટારિયોમાં ખાલિસ્તાન સમર્થકોની રવિવારની પરેડ પછી મંગળવારે ભારત સરકારે સખત વિરોધ નોંધાવ્યો
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_080826_Khalistan.webp)
- 08 May, 2024
છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડા વચ્ચે સતત સબંધો વણસી રહ્યા છે. ભારતે કેનેડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે હિંસાનો ઉત્સવ મનાવી રહી છે અને તેણે તેનું મહિમામંડન કરવાની ખુલ્લી છૂટ આપી રાખી છે. એક પરેડ દરમિયા થયેલી ભારત વિરોધી નારેબાજીથી ભારતની સરકાર ભડકી છે.
ભારત સરકારે કેનેડાની સરકારને આહવાન કર્યું છે કે તે ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં ઘૂસવા ન દે. કેનેડાના ઓન્ટારિયો માલટનમાં ખાલિસ્તાન સમર્થકોની રવિવારની પરેડ બાદ મંગળવારે ભારત સરકારે સખત વિરોધ નોંધાવતા કહ્યું કે 'નગર કીર્તન' પરેડે ખૂબ જ વિવાદાસ્પદ સ્વરૂપ ધારણ કર્યું છે.
વધુમાં ભારતે ટ્રૂડો સરકારને કહ્યું કે તે ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં રાજકીય આશ્રય અને સુરક્ષિત આશ્રય ન આપે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે કહ્યું કે ભારત હજુ પણ કેનેડામાં પોતાના ડિપ્લોમેટિક પ્રતિનિધિઓની સુરક્ષા અંગે ચિંતિત છે. ભારત કેનેડા પાસે એ અપેક્ષા રાખે છે કે ભારતના પ્રતિનિધિઓ કેનેડામાં તેમની જવાબદારી ડર્યા વગર નિભાવી શકે.
જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે ભારતીય રાજદૂતોના પોસ્ટરોને પણ સમગ્ર કેનેડામાં લગાવવામાં આવ્યા છે. જેમાં તેમને હિંસાની ધમકીઓ આપવામાં આવી છે. ગત અઠવાડિયે કેનેડા સરકારે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકો કરણ બરાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ