:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પૂર્વ કોંગ્રેસ નેતાએ કર્યો મોટો ધડાકો: રામ મંદિર વિશે કહી દીધી આ મોટી વાત...

top-news
  • 06 May, 2024

પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિશનમે સોમવારે એક મોટો દાવો કર્યો છે. પ્રમોદે જણાવ્યું કે એક બેઠકમાં રાહુલ એવી વાત કહી હતી કે જો તેઓ કેન્દ્રમાં સત્તામાં આવશે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ બદલી નાંખશે. જેના પગલે હાલ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. વધુમાં તેમણે દાવો કરતા કહ્યું કે મેં કોંગ્રેસમાં 32 વર્ષ જેટલો સમય પસાર કર્યો છે.

તેમણે આ વાત ક્યારે કરવામાં આવી તે અંગે વિગતે કહ્યું હતું કે જ્યારે રામ મંદિર અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે તેમણે તેમના એક નજીકના વ્યક્તિને એક બેઠકમાં આ વાત કહી હતી. તેમણે આ વાત કહેતા એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજીવ ગાંધીએ જે રીતે સુપ્રીમ કોર્ટનો શાહ બાનો કેસનો ચુકાદો બદલ્યો હતો, તે જ રીતે તેઓ રામ મંદિરના ચુકાદા માટે કરશે જો કેન્દ્રમાં કોંગ્રેસ આવશે તો. 

પૂર્વ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે રાહુલે તેમના એક અમેરિકાના પ્રશંસકના વિચારની પ્રશંસા કરી હતી. કદાચ તે વ્યક્તિ ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસ ચેરમેન શ્યામ પિત્રોડા હોઈ શકે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે રામ મંદિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુ્લ્લું મુકવામાં આવવાનું હતું, ત્યારે દેશમાં રામ મંદિરને ખુલ્લું મુકવા અંગે વધુ પડતો દેખાડો થઈ રહ્યો હોવાની વાત કહીને પિત્રોડાએ કટાક્ષ કર્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎