:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાવણ દહન... સુરતમાં પોલીસ દ્વારા ડ્રગ્સરૂપી રાવણનું દહન કરાયું

top-news
  • 24 Oct, 2023

અધર્મ પર ધર્મની વિજયના પર્વ વિજયા દશમીના નિમિતે સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે 65 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ રૂપી રાવણનું પુતળું પણ અહી બનાવવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને ચરસ, ગાંજો ડ્રગ્સથી દૂર રહેવાના સંદેશા સાથે આ નશારૂપી રાવણના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન બાદ અહી ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વિજયાદશમી પર્વ નિમિતે સુરતમાં સૌથી મોટા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત ગ્રાઉન્ડમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા 65 ફૂટના રાવણનું દહન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. 

મથુરાથી આવેલા 15 કારીગરો દ્વારા 40 દિવસની મહેનત બાદ ૬૫ ફૂટનું રાવણનું આ પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું જેનું આજે દશેરાના પાવન દિવસે દહન કરવામાં આવ્યું હતું, રાવણ દહનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રાવણ દહન બાદ અહી ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત અહીં સુરત પોલીસ દ્વારા જન જાગૃતિ માટે ડ્રગ્સ રૂપી રાવણનું પુતળું પણ અહી તૈયાર કરવામાં આવ્યું હતું, આ પુતળામાં યુવાનોને ચરસ, ગાંજો, ડ્રગ્સ વગેરે નશીલા પદાર્થોથી દુર રહેવાના સંદેશા સાથે નશારૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું,

મહત્વનું છે કે યુવાનો ડ્રગ્સની ચુંગલમાં ફસાઈને જીવન બરબાદ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નશારૂપી રાવણના પુતળાનું દહન કરીને લોકોને આવા નશારૂપી દુષણોથી દુર રહેવા લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા.

રાવણ દહનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા અહી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી દર્શના બેન જરદોશ, સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎