:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : બાળક ગમે તે વસ્તુ મોઢામાં ન નાખે , નહીંતર .. -સિવિલ સુપ્રિ.

top-news
  • 29 Apr, 2024

 શહેરની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માં અનેક પ્રકારની સમસ્યા લઈને દર્દીઓ આવતા હોય છે, સિવિલના સત્તાવાળાઓ તેનો યોગ્ય નિરાકરણ લાવીને દર્દી અને તેના સગા સંબંધીઓને ચહેરા પર સ્મિત લાવે . તાજેતરમાં એક આવો જટિલ કેસ આવ્યો જેમાં એક બાળક નારિયેળનો એક ટુકડો ગળી ગયો અને શ્વાસ  નળી માં અટકી ગયો ..

બાળકોનો ઉછેર કરવો હવે સહેલી વાત રહી નથી ,તેના માટે માતા-પિતાએ ૨૪ x ૭ અલર્ટ મોડમાં જ રહેવું આવશ્યક બની ગયું છે. અને એમાંય જો સહેજ ભૂલ થઈ ગઈતો પછી તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. આવા ચેતવણીરૂપ કીસ્સા હાલમાં વધુ બની રહયા હોવાનું સામે આવી રહ્યું છે. જેનું જીવંત ઉદાહરણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જોવામાં આવી રહ્યું છે. 

જેમાંથી માતા-પિતાએ એમાંથી શીખ લેવી જોઈએ ,ખાસ કરીને જેમના બાળકને મોઢામાં નાખવાની ટેવ હોય તો તેમને સાવધ રહેવું જરૂરી છે. બાળક રમતા -રમતા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખી દેતુ હોય છે. તેથી હમેશા તેની આજુ-બાજુ એવી વસ્તુ ન રાખવી કે તે તરત હાથમાં પકડીને મોઢાં નાખી દે. આવા કિસ્સાઓ  વિષે વાત કરતાં સિવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે,નાના બાળકો મા શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવાનાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવા મા નાં આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથ માં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ તેમ જણાવ્યું હતું. 

હાલમાં સામે આવેલા કિસ્સામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકો ના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવામાં આવી હતી , જેંની સફળ સર્જરી કરવામાં આવી તેવા પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે , મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી  ૧લી એપ્રિલના રોજ રમત માં  આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા  તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ. ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને સોયાબીનનો દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસ નળીમાં સોયાબીનનો દાણો ગયો હોવાની શંકા જતા સાંજે ૭ વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.

 મહેસાણા સિવિલમાં તેણીને  શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સતત ઓક્સિજનની જરૂર પડી રહી હતી.  ત્યારબાદ ૫ મી એપ્રિલના રોજ મહેસાણા સિવિલથી આર્યાને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને આર્યાનો છાતી નો સીટી સ્કેન કરતા શ્વાસનળીના નીચેના ભાગ માં  કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્યુ.  જેથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં  તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન ડૉ. જયશ્રી રામજી, ડૉ‌. સ્મિતા અને ડૉ. નિલેશ એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો  કાઢવામાં આવ્યો. જે ઓપરેશન પછી ધીરે ધીરે તેણીને શ્વાસની તકલીફ દુર થતા અને પોસ્ટઓપરેટીવ કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી.

આવાજ બીજા કિસ્સામાં ગીર સોમનાથ નાં શાહિદ ભાઈ સુમરા અને મુનીજા બેન નાં દોઢ વર્ષ ના દીકરા અલી ને ૧૮ એપ્રિલ ના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દિકરાની  શ્વાસ નળી માં નાળિયેરનો ટુકડો ગયો હોવાની શંકા જતા તાત્કાલિક સોમનાથમાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જનને બતાવ્યું. જ્યાંથી તમને અમદાવાદ સિવિલ રીફર કરવામા આવ્યા. જ્યાં ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક વીભાગ નાં વડા અને મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એનેસ્થેસિયા વિભાગ નાં ડૉ. સ્મિતા અને ડૉ નિલેષની ટીમે બ્રોન્કોસ્કોપી કરી અને. મુનીજાં બેનની શંકા મુજબનો નાળિયેરનો ટુકડો બહાર કાઢ્યો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎