:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાહુલે પોતાના માટેના શબ્દો PM માટે કહ્યાં કે શું?: રાહુલે કહ્યું- મોદી કદાચ...

top-news
  • 26 Apr, 2024

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે હમણાંથી નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ ઉદાશ દેખાઈ રહ્યાં છે, કદાચ તેઓ સ્ટેજ પર જ રડી પડશે. કર્ણાટકના બીજાપુર ખાતે એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજકાલ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ ઉદાશ દેખાઈ રહ્યાં છે. કદાચ થોડા જ દિવસોમાં તેઓ સ્ટેજ પર જ રડી જાય એવું લાગે છે. 

કોંગ્રેસના સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ લોકોનું ધ્યાન ગરીબી, બેકારી અને મોંઘવારી પરથી હટાવવા માંગે છે. કેટલીક વખત તેઓ ચાઈના અને પાકિસ્તાન વિશે પણ નિવેદન આપે છે. રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યાર પછી આવ્યું છે, જ્યારે ઘણા કોંગ્રેસના નેતાઓ એમ કહી રહ્યાં છે કે પ્રથમ તબક્કાના મતદાન પછી વડાપ્રધાન મોદીનો ફોક્સ 400 પાર પરથી હટ્યો છે. 

હવે બીજા તબક્કાના મતદાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂર બદલાયા છે અને તેઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસ દેશની સંપત્તિને ઘુસણખોરો અને જે લોકોને વધુ બાળકો છે, તેઓને આપી દેશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎