શું વ્હોટ્સએપ ભારત છોડશે?: હાઈકોર્ટમાં કંપનીએ કરી આ રજૂઆત
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26042024_063411_Webwhats up new file.webp)
- 26 Apr, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપે કહ્યું છે કે જો તેને એન્ક્રિપ્શન તોડવા માટે મજબૂર કરાશે તો તે ભારતમાં પોતાનું કામકાજ બંધ કરશે અને અહીંથી ચાલ્યું જશે. મેટાના સ્વામિત્વવાળા મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપે તરફથી દિલ્હી હાઈકોર્ટમાં હાજર થયેલા વકીલે આ રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી.
વકીલે કહ્યું કે લોકો વ્હોટ્સએપનો ઉપયોગ તેની પ્રાઈવસીની ખૂબી માટે કરે છે. તેઓને એ વાતનો ખ્યાલ છે કે તેની પર મોકલાતા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. વ્હોટ્સઅપ અને તેની પેરેન્ટ કંપની મેટાએ 2021માં દેશમાં લાવવામાં આવેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યા છે. હાઈકોર્ટેમાં ગુરુવારે બંનેની અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આઈટીના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા મેસેજિંગ કંપનીઓ માટે કોઈપણ ચેટની માહિતી મેળવવા અને મેસજને સૌથી પહેલા ક્રિએટ કરનાર વ્યક્તિની માહિતી માટે આ પ્રાવધાન કરવો જરૂરી હશે. મેટાના સીઈઓ માર્ક ઝ્કરબર્ગ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ