સુપ્રીમના આદેશનું પાલન થયું: બાબાએ મોટી જાહેરાત આપીને લખ્યું-સોરી...
- 24 Apr, 2024
પતંજલિએ લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરાત આપવાના મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ન્યુઝપેપરમાં આ અંગે માફી માગી હતી. જોકે આ જાહેરાતની સરખામણીમાં ન્યુઝપેપરમાં પ્રસિદ્ધ થયેલું માફીનામું ખૂબ જ નાનું હોવાના કારણે કોર્ટે આ અંગે યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ પતંજલિ ફરીથી માફીનામું પ્રસિદ્ધ કરી માફી માંગી હતી.
કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને સવાલ કરતા કહ્યું હતું કે શું તમારા માફીનામાની સાઈઝ તમારી પ્રોડક્ટસની જાહેરાત જેટલી જ છે કે તેનાથી નાની. જોકે માફીનામાની સાઈઝ નાની હોવાના પગલે પતંજલિએ આ અંગે ફરી માફી માંગી હતી. કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે માફીનામાને મોટું કરીને અમારી સમક્ષ પ્રસિદ્ધ કરવાની જગ્યાએ તેને તેની મૂળ સાઈઝમાં અમારી સમક્ષ રજૂ કરો.
ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે પતંજલિ દ્વારા મોર્ડન મેડિસિનની ખોટી ટીકા કરવામાં આવે છે. બાદમાં કોર્ટે આ અંગે પંતજલિને તેની પ્રોડક્ટ્સની ખોટી રીતે જાહેરાત આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું. એસોસિએશને એક્ટ 1954 મુજબ આવી જાહેરાતો આપવી, તે ગેરકાયદેસર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ