:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

સુપ્રીમના આદેશનું પાલન થયું: બાબાએ મોટી જાહેરાત આપીને લખ્યું-સોરી...

top-news
  • 24 Apr, 2024

પતંજલિએ લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરાત આપવાના મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ન્યુઝપેપરમાં આ અંગે માફી માગી હતી. જોકે આ જાહેરાતની સરખામણીમાં ન્યુઝપેપરમાં પ્રસિદ્ધ થયેલું માફીનામું ખૂબ જ નાનું હોવાના કારણે કોર્ટે આ અંગે યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ પતંજલિ ફરીથી માફીનામું પ્રસિદ્ધ કરી માફી માંગી હતી. 

કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને સવાલ કરતા કહ્યું હતું કે શું તમારા  માફીનામાની સાઈઝ તમારી પ્રોડક્ટસની જાહેરાત જેટલી જ છે કે તેનાથી નાની.  જોકે માફીનામાની સાઈઝ નાની હોવાના પગલે પતંજલિએ આ અંગે ફરી માફી માંગી હતી. કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે માફીનામાને મોટું કરીને અમારી સમક્ષ પ્રસિદ્ધ કરવાની જગ્યાએ તેને તેની મૂળ સાઈઝમાં અમારી સમક્ષ રજૂ કરો.

ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે પતંજલિ દ્વારા મોર્ડન મેડિસિનની ખોટી ટીકા કરવામાં આવે છે. બાદમાં કોર્ટે આ અંગે પંતજલિને તેની પ્રોડક્ટ્સની ખોટી રીતે જાહેરાત આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું. એસોસિએશને એક્ટ 1954 મુજબ આવી જાહેરાતો આપવી, તે ગેરકાયદેસર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎