2જી સ્કેમ કેસમાં ચુકાદાના 12 વર્ષ પછી કોર્ટમાં પહોંચી સરકાર: ચુકાદામાં ફેરફારની કરી માંગ
- 23 Apr, 2024
2જી કોભાંડમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના 12 વર્ષ પછી કેન્દ્ર સરકારે આ આદેશમાં સુધારાની માંગને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેન્દ્ર સરકાર તે શરતમાં સુધારો ઈચ્છે, જે અંતર્ગત સરકારને સ્પેક્ટ્રમ રિસોર્સિસની ફાળવણી માટે હરાજીનો માર્ગ અપનાવવાની જરૂર પડે છે.
કેન્દ્ર સરકારે 2012ના 2જી સ્પેક્ટ્રમ સંબંધી ચુકાદામાં સંશોધન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટના નિર્ણયમાં સરકારને દેશના પ્રાકૃતિક સંશાધનોને ટ્રાન્સફર કરવા માટે હરાજીનો રસ્તો અપનાવવાની વાત કહેવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું કે ચુકાદામાં સંશોધનની આવશ્યકતા છે કારણ કે સ્પેક્ટ્રમની ફાળવણી માત્ર દૂરસંચાર સેવાઓ માટે જ જરૂરી નથી. સુરક્ષા, ઈમરજન્સીની તૈયારી સહિતના કાર્યો માટે અને નોન-ફાઈનાન્શિયલ ઉપયોગ માટે પણ તેની જરૂર છે.
કેન્દ્રએ તેના સોગાંદનામામાં ભાર આપ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષા અને ઈમરજન્સીની તૈયારીના ઉદેશ્યોને પ્રાપ્ત કરવાની સાથે-સાથે ભારતની આવશ્યકતા મુજબ ગતિશીલ નિર્ણય લેવામાં સક્ષમ બનાવવા માટે દૂરસંચારની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી આમ જનતાની સર્વોતમ ભલાઈ કરી શકાય.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ