રહી-રહીને કોંગ્રેસની ઉંધ ઉડી: ફાઈલ લઈને ચૂંટણી પંચમાં દોડી ગયા...
- 23 Apr, 2024
સુરત લોકસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતનો નવો વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના ઉમેદવારોનું નામાંકન રદ થઈ ગયા પછી બાકી બચેલા 8 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત લીધા પછી મુકેશ દલાલ બિનફરીફ ચૂંટણી જીતી ગયા હતા. આ મામલામાં હવે કોંગ્રેસની રહી-રહીને ઉંધ ઉડી છે અને તેણે ઈલેક્શન કમિશનને આ અંગે ફરિયાદ કરી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મુકેશ દલાલને અનુચિત પ્રભાવના પગલે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કહ્યું છે કે આ સીટ પર નવેસરથી ચૂંટણી કરાવવામાં આવે. પાર્ટીએ દાવો કર્યો છે કે બીજેપી કારોબારી સમુદાયથી ડરી ગઈ હતી. જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગની કોશિશ કરી.
કોંગ્રેસ નેતાઓના એક પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય ચૂંટણી અધિકારીઓની મુલાકાત કરી અને માંગ કરી કે સુરતમાં ચૂંટણીની પ્રક્રિયા બીજી વખત કરાવવામાં આવે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ ચૂંટણી અધિકારીને મળ્યા પછી કહ્યું કે અમે ચૂંટણી અધિકારીને આગ્રહ કર્યો છે કે સુરત સીટ પર ચૂંટણીને સ્થગિત કરવામાં આવે અને ઝડપથી બીજી વખત ચૂંટણી કરાવવામાં આવે. જેથી એક સ્પષ્ટ સંદેશ જઈ શકે કે તમે આ રીતે ખોટો પ્રભાવ બતાવીને લાભ ન ઉઠાવી શકો. તેમણે આરોપ લગાવ્યો કે આ એવો મામલો નથી, જે મામલા પર ચૂંટણી અરજીથી નિર્ણય થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ