આઈટી સેક્ટરમાં કામ કરો છો: તો TCS, ઈન્ફોસિસના આ સમાચાર ખાસ વાંચજો...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan20042024_122326_IT.webp)
- 20 Apr, 2024
આઈટી સેક્ટરમાં કામ કરતા લોકો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસિસ સહિતની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આ માર્ચમાં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં આઈટી ક્ષેત્રમાં કામ કરતી આ ત્રણ અગ્રણી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં સંયુક્ત રીતે 64,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકાથી આ કંપનીઓ એન્જીનિયરિંગ અને ટેક્નોલોજી ટેલેન્ટને નોકરીએ રાખવામાં ટોચ પર છે.
ઈન્ફોસિસની વાત કરીએ તો ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીનો રેવન્યુ ગ્રોથ 1 ટકાથી 3 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે વિપ્રોની રેવન્યું 1.5 ટકા ઘટવાનું અનુમાન છે. જોકે આ રેવન્યુ ફરી પાછી જૂન મહીનામાં 0.5 ટકા વધવાની શક્યતા છે. આઈટી કન્સલ્ટિંગ કંપની એવરેસ્ટના સીઈઓ પીટર બેન્ડોર સેમ્યુઅલે જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન થઈ ગયેલી વધુ ભરતીને કારણે હાલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓની વાત કરીએ તો માંગ કરતા પુરવઠો વધુ હોવાની સ્થિતિ છે.
યુએસની ઈકોનોમિ તો હાલ મજબૂત છે. જોકે ટીસીએસ સીઈઓ કે ક્રિથીવાસને જણાવ્યું હતું કે યુએસની કંપનીઓને હાલ એ વાતની ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં મંદી આવવાની શક્યતા છે અને તેના કારણે તેઓ મોટો ખર્ચ કરતા વિચારી રહ્યાં છે. આ અંગે વિપ્રોના એચઆર ચીફ સૌરભ ગોવિલે કહ્યું હતું કે માંગના પ્રમાણમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેનાથી ઓપરેશનલ એફિસયન્સીમાં પણ સુધારો જોવા મળ્યો છે. ઈન્ફોસિસના સીએફઓ જયેશ સગરજાકાએ કહ્યું છે કે ભૂતકાળના વર્ષો કરતા હાલ જ્યારે માંગમાં ઘટાડો થયો છે, ત્યારે સંખ્યા ઘટાડવી જરૂરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ