:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

પવાર સાહેબે મને BJP સાથે વાત કરવા કહ્યું...: કાકાને લઈને અજીત પવારે કર્યો મોટો દાવો

top-news
  • 20 Apr, 2024

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી પ્રમુખ અજીત પવાર પોતાના રાજકારણને લઈને હાલ સમાચારમાં છે. હવે તેમણે પોતાની દિનચર્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ 5 વાગે જાગી જાય છે અને 6 વાગ્યાથી પોતાનું કામ શરૂ કરે છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે પવાર સાહેબે મને પ્રફુલ પટેલ અને જયંત પાટિલને બીજેપી સાથે વાત કરવા કહ્યું હતું. હું તમને એ પત્ર બતાવવા તૈયાર છું. 

અજીત પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું સવારે 6 વાગ્યાથી કામ શરૂ કરી દઉં છું. આ લડાઈ પવાર Vs પવાર નથી. જોકે આ મુકાબલો મોદી Vs રાહુલ ગાંધીનો છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બન્યા. અમે તેમના માટે વોટ માંગી રહ્યાં છે. તેના પગલે અમને ફન્ડ્સ મળ્યું. પરિવારની લડાઈ મીડિયા જોઈ જ રહ્યું છે. 

એ વાત ખોટી છે કે મને અમિત શાહે કહ્યું કે પત્નીને ઉતારો એટલે અમને વિશ્વાસ થશે. મારા ઉમેદવારોને મેં ચૂંટ્યા છે. EDનો ડર દેખાડીને મને તોડવામાં આવ્યો છે, એ આરોપ પણ ખોટો છે. પવાર સાહેબે મને, પ્રફુલ પટેલ અને જયંત પાટિલને બીજેપી સાથે વાતચીત કરવા કહ્યું છે. હું તે પત્ર બતાવવા તૈયાર છું.

આ ખોટી ઈન્કવાયરી બંધ થઈ છે. હાલ પણ બધા પર ઈન્કવાયરી ચાલી રહી છે. મોદીના વિઝનના પગલે અમે નક્કી કર્યું છે કે તેમની સાથે જવું જોઈએ. બીજેપી એનસીપીને ખત્મ કરવા માંગે છે, આ આરોપ ખોટો છે. મને ખબર નથી કે 400ની પાર જવાશે કે નહીં, જોકે કોશિશ ચાલી રહી છે. પીએમ ઘણી રેલીઓ કરી રહ્યાં છે. હું સીએમ બનવા માંગુ છું, જો મને નંબર મળ્યા, લોકોએ સપોર્ટ કર્યો તો હું જરૂર સીએમ બનીશ. અમે જે લાઈન લીધી છે, તે લાઈન શરદ પવારને યોગ્ય લાગશે તો સાથે આવવામાં મને કોઈ મુશ્કેલી નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎