:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજનું ગર્ડર તૂટ્યુ, બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં

top-news
  • 23 Oct, 2023

ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી.અમદાવાદમાં એસપી રીંગ રોડ પરનો નિર્માણાધીન બ્રિજ કેટલાક સમય પહેલાં જ ધરાશાયી થયો હતો જેની ચર્ચાઓ શમી નથી ત્યાં હાટકેશ્વર બ્રિજ ગુણવત્તાને લઈને તોડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી અને હવે તેને માત્ર જરૂર પ્રમાણે જ તોડવાનો નિર્ણય લેવાયો છે.ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. )બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા રિક્ષા અને ટ્રેકટર દટાઈ ગયા હતા. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે  નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલા ધરાશાયી થતા કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતા જ બનાસકાંઠા કલેકટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ઉલ્લેખનીય છે કે, આજથી આઠેક મહિના પહેલાં અમરેલીમાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસેનો બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ તેનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎