પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજનું ગર્ડર તૂટ્યુ, બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં

- 23 Oct, 2023
ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી.અમદાવાદમાં એસપી રીંગ રોડ પરનો નિર્માણાધીન બ્રિજ કેટલાક સમય પહેલાં જ ધરાશાયી થયો હતો જેની ચર્ચાઓ શમી નથી ત્યાં હાટકેશ્વર બ્રિજ ગુણવત્તાને લઈને તોડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી અને હવે તેને માત્ર જરૂર પ્રમાણે જ તોડવાનો નિર્ણય લેવાયો છે.ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. )બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા રિક્ષા અને ટ્રેકટર દટાઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલા ધરાશાયી થતા કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતા જ બનાસકાંઠા કલેકટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ઉલ્લેખનીય છે કે, આજથી આઠેક મહિના પહેલાં અમરેલીમાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસેનો બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ તેનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ