ગૃહમંત્રી અમિત શાહે વિજયમુહૂર્તમાં ભર્યું નામાંકન ફોર્મ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યાં ઉપસ્થિત
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan19042024_114246_amit.webp)
- 19 Apr, 2024
દેશમાં લોકસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે. એવામાં દરેક રાજકીય પાર્ટીઓના ઉમેદવારો પોતાના નામાંકન ફોર્મ બાહરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે વિજય મૂહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે ગાંધીનગર લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
નામાંકન પહેલા ગઇકાલે અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગર ખાતે 6 રોડ શો કર્યા હતા. ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. સાણંદ બાદ તેમણે કલોલ, સાબરમતી, વેજલપુર , ઘાટલોડિયા અને નારાણપુરામાં રેલી યોજાઇ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપની પરંપરાગત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહને ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી 8 લાખ 90 હજારથી વધુ મત મળ્યા હતા. તેમણે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવતી વખતે કહ્યું હતું કે, આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બંને પ્રભારીઓ સાથે લોકસભા માટે ઉમેદવારી નોંધાવી છે. પીએમ નરેન્દ્ર મોદી અહીંના મતદાર છે. જે બેઠકનું પ્રતિનિધિત્વ અડવાણી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી કરતા હતા. ત્યાંથી મને પ્રતિનિધિત્વની તક મળી. આ મારા માટે ગર્વની વાત છે.
હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું. 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણું કામ કર્યું. 5 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને બહુમતીથી જીતાડ્યો છે.
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે એક જ દિવસે મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે. દેશની તમામ 543 લોકસભા સીટો માટે 4 જૂને મતગણતરી થશે. ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ,રામજી ઠાકોર મહેસાણા બેઠક -કોંગ્રસ, કેતન પટેલ દમણ બેઠક -કોંગ્રેસ ,નૈષધ દેસાઇ નવસારી બેઠક-કોંગ્રેસ તેમજ અજિત મહિલા દાદરા નગર હવેલી બેઠક-કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યો
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ