એવરેસ્ટ મસાલો વાપરો છો તો ખાસ વાંચોઃ સિંગાપોરે બજારમાંથી બ્રાન્ડ પાછી ખેંચી...
- 19 Apr, 2024
ગુજરાતીઓના પસંદગીના એવરેસ્ટ મસાલાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એવરેસ્ટ મસાલાના ફીશ અને કરી મસાલામાં એથિલીન ઓક્સાઈડ(જતુંનાશક)નું પ્રમાણ નક્કી માત્રા કરતા વધુ હોવાના પગલે સિંગાપોરે મસાલા બ્રાન્ડને આ મસાલાને બજારમાંથી પરત ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.
સિંગાપોર ફુડ એજન્સી(એસએફએ)એ ગુરુવારે આ અંગે નિવેદન બહાર પાડતા એમ્પોર્ટર એસપી મુથા એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડને જણાવ્યું હતું કે એથિલીન એક્સાઈડની માત્ર વધુ હોવાના કારણે ફીશ અને કરી મસાલાને બજારમાંથી પરત લેવામાં આવે. એજન્સીએ આ અંગે વધુ ખુલાસો કરતા જણાવ્યું હતું કે એથિલીન એક્સાઈડને ખાદ્ય પદાર્થમાં વાપરી શકાય નહિ. તેનો ઉપયોગ માઈક્રોબાયલ પ્રદૂષણને રોકવા એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને ધુમાડો કરીને નાશ કરવા માટે થાય છે. સિંગાપોર ફુડ રેગ્યુલેશન મુજબ એથિલીન એક્સાઈડ મસાલાને શુદ્ધ કરવા માટે જ વાપરી શકાય.
એજન્સીએ આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એથિલીન એક્સાઈડની માત્રા ઓછી હોય તેવા ફુડના તાત્કાલિક ઉપયોગથી કોઈ નુકસાન નથી પરંતુ જો તેને લાંબા સમય સુધી આરોગવામાં આવે તો આરોગ્યને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. તાત્કાલિક આ ફુડને આરોગવામાં કોઈ જ પ્રકારનું જોખમ નથી. તેના પગલે મસાલામાંથી એથિલીન એક્સાઈડનું પ્રમાણ શક્ય તેટલું ઘટાડવામાં આવે.
જે ગ્રાહકોએ હાલ આ પ્રોડક્ટ્સને ખરીદી હોય તેમને તેને ન ખાવાનું કહેવામાં આવ્યું છે. જે ગ્રાહકોએ આ પ્રોડક્ટ્સને જમી હોય તેમને મેડિકલ સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટના બાબતે એવરેસ્ટે કંપનીના સતાવાળાઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ