:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

એવરેસ્ટ મસાલો વાપરો છો તો ખાસ વાંચોઃ સિંગાપોરે બજારમાંથી બ્રાન્ડ પાછી ખેંચી...

top-news
  • 19 Apr, 2024

ગુજરાતીઓના પસંદગીના એવરેસ્ટ મસાલાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એવરેસ્ટ મસાલાના ફીશ અને કરી મસાલામાં એથિલીન ઓક્સાઈડ(જતુંનાશક)નું પ્રમાણ નક્કી માત્રા કરતા વધુ હોવાના પગલે સિંગાપોરે મસાલા બ્રાન્ડને આ મસાલાને બજારમાંથી પરત ખેંચી લેવાનો આદેશ આપ્યો છે. 

સિંગાપોર ફુડ એજન્સી(એસએફએ)એ ગુરુવારે આ અંગે નિવેદન બહાર પાડતા એમ્પોર્ટર એસપી મુથા એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડને જણાવ્યું હતું કે એથિલીન એક્સાઈડની માત્ર વધુ હોવાના કારણે ફીશ અને કરી મસાલાને બજારમાંથી પરત લેવામાં આવે. એજન્સીએ આ અંગે વધુ ખુલાસો કરતા જણાવ્યું હતું કે એથિલીન એક્સાઈડને ખાદ્ય પદાર્થમાં વાપરી શકાય નહિ. તેનો ઉપયોગ માઈક્રોબાયલ પ્રદૂષણને રોકવા એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને ધુમાડો કરીને નાશ કરવા માટે થાય છે. સિંગાપોર ફુડ રેગ્યુલેશન મુજબ એથિલીન એક્સાઈડ મસાલાને શુદ્ધ કરવા માટે જ વાપરી શકાય. 

એજન્સીએ આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એથિલીન એક્સાઈડની માત્રા ઓછી હોય તેવા ફુડના તાત્કાલિક ઉપયોગથી કોઈ નુકસાન નથી પરંતુ જો તેને લાંબા સમય સુધી આરોગવામાં આવે તો આરોગ્યને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. તાત્કાલિક આ ફુડને આરોગવામાં કોઈ જ પ્રકારનું જોખમ નથી. તેના પગલે મસાલામાંથી એથિલીન એક્સાઈડનું પ્રમાણ શક્ય તેટલું ઘટાડવામાં આવે. 

જે ગ્રાહકોએ હાલ આ પ્રોડક્ટ્સને ખરીદી હોય તેમને તેને ન ખાવાનું કહેવામાં આવ્યું છે. જે ગ્રાહકોએ આ પ્રોડક્ટ્સને જમી હોય તેમને મેડિકલ સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટના બાબતે એવરેસ્ટે કંપનીના સતાવાળાઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎