:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

ઈડીનો મોટો દાવો: અરવિંદ કેજરીવાલ મીઠાઈ, કેરી સહિતની વસ્તુઓ ખાય છે

top-news
  • 18 Apr, 2024

દિલ્હીની એક કોર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાની નિયમિત દાકતરી તપાસ કરવાની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ઈડી) પોતનો જવાબ દાખલ કર્યો છે. ઈડી તરફથી રજૂ થયેલા વકીલ જુહૈબ હુસૈને જણાવ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ડાયાબિટિસ વધવા પાછળનું કારણ તેમના ઘરનું જમવાનું છે. તેમને ઘરેથી આલુ પુરી, કેરી, મિઠાઈ અને ગળી વસ્તુઓ ખાવા માટે અપાઈ રહી છે અને મેડિકલના આધારે જામીન દાખલ કરવાનું અયોજન થઈ રહ્યું છે.  

અરવિંદ કેજરીવાલના વકીલ વિવેક જૈને ઈડીના વકીલની દલીલોનો વિરોધ કરતા કહ્યું હતું કે તપાસ એજન્સી આ નિવેદન મીડિયા માટે આપી રહી છે. અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું કે તેમનું ફાસ્ટિંગ શુગર 243 હતું. જે ઘણું વધારે છે. કેજરીવાલને ડોક્ટરે નક્કી કરેલું ભોજન જ આપવામાં આવે છે. બીજી તરફ ઈડીએ કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ખાંડવાળી ચા જ પી રહ્યાં છે. 

ઈડીનો જવાબ સાંભળ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની અરજી પરત ખેંચી લીધી છે. કેજરીવાલના વકીલે કહ્યું કે તેઓ આ અરજીમાં ફેરફાર કરીને પછી કોર્ટમાં દાખલ કરશે. ઈડીએ કહ્યું કે અમે કેજરીવાલના શુગર લેવલને લઈને જેલ ઓથોરિટી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ સિવાય કેજરીવાલના ડાએટ ચાર્ટને પણ માંગ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કેજરીવાલનું ફાસ્ટિંગ શુગર 173, 267 સુધી ગયું છે. શું તે ચિંતાજનક નથી, 120 નોર્મલ શુગર હોય છે. કોર્ટે કહ્યું કે આ જેલ ઓથોરિટી કેજરીવાલનો ડાઈટ ચાર્જ માંગશે. રાઉજ એવન્યુ કોર્ટે કેજરીવાલનો ડાએટ ચાર્જ માંગ્યો  છે. રાઉજ એવન્યુ કોર્ટ શુક્રવારે આ મામલાની સુનાવણી કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎