:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પ.બંગાળમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો: ભાજપ કાર્યાલય સળગાવવાનો આરોપ

top-news
  • 18 Apr, 2024

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન જોરદાર ધમાલ થઈ હતી. આ દરમિયાન થયેલી મારામારીમાં સાત લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન હાલ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. પ્રશાસને પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે. સાથે જ વધારાના સુરક્ષાબળોને પણ તહેનાત કર્યા છે. 


બંગાળ પોલીસનું કહેવું છે કે આ ધાધલ શક્તિપુર વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તણાવપૂર્ણ સ્થિતના પગલે વધારાના સુરક્ષાબળોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. જોકે રાતે કોઈ અપ્રિય બનાવ બન્યો નહોતો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. 

રામનવમીના તહેવારના દિવસે મુર્શિદાબાદમાં જ નહિ પરંતુ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં પણ અથડામણ થઈ હતી. અહીં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બીજેપીનો આરોપ છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. નંદીગ્રામમાં બીજેપીના કાર્યાલયને સળગાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎