:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જ્યારે રાહુલે પત્રકારને મોઢે ચોપડાવ્યું: આ સવાલ તમારો નહિ ભાજપવાળાનો છે...

top-news
  • 17 Apr, 2024

લોકસભા ચૂંટણીમાં INDIA બ્લોકની સહયોગી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ગુરુવારે યુપીના ગાજિયાબાદમાં સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે બીજેપી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને જ્યારે અમેઠી છોડીને ચૂંટણી લડવાનો સવાલ કરવામાં આવ્યો તો તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ તો બીજેપીનો સવાલ છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મને અંદાજ આવી જાય છે કે કેટલાક સવાલ બીજેપીવાળા હશે. જોકે હું એ સવાલોના જવાબ આપવા માટે પણ તૈયાર છું. રાહુલને પહેલો સવાલ કરવામાં આવ્યો કે દિલ્હીની જગ્યાએ આ પ્રેસ કોન્ફરન્સ યુપીના ગાજિયાબાદમાં કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન માટે ઉમેદવાર પણ ગુજરાત છોડીને યુપી આવી રહ્યાં છે. જોકે તમે યુપી છોડીને વાયનાડ શાં માટે જતા રહ્યાં? રાહુલે આ અંગે તરત જ ટકોર કરતા કહ્યું કે આ સવાલ બીજેપી વાળો છે. 

રાહુલને પૂછવામાં આવ્યું કે શું તે અમેઠી  કે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે? આ અંગે તેમણે રિપોર્ટર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ બીજેપીનો સવાલ છે. ખૂબ જ સરસ. મને જે પણ આદેશ મળશે, હું તેનું પાલન કરીશ. અમારી પાર્ટીમાં આ તમામ નિર્ણય કોંગ્રેસ કમિટી તરફથી લેવામાં આવે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎