ઈઝરાયલ ઈરાનના અણુમથકો પર હુમલો કરી શકે: કેબિનેટમાં થઈ પ્રાથમિક ચર્ચા
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16042024_061146_Isrel 22.jpg)
- 16 Apr, 2024
ઈઝરાયલ પર ઈરાનના હવાઈ હુમલા પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાને ઈઝરાયલ પર 300 મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો. તેના પગલે હવે ઈઝરાયલ જવાબી કાર્યવાહી માટે તૈયાર થયું છે અને ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી શકે છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નેતન્યાહૂએ વોર કેબિનેટની બેઠકમાં ઈરાન પર હુમલાના પ્લાનિંગની ચર્ચા કરી છે.
ઈઝરાયલની વોર કેબિનેટે ઈરાન પર જવાબી હુમલા કરવાનું સમર્થન કર્યું છે. જોકે આ હુમલો ક્યારે થશે અને કેવો થશે, તેને લઈને વિવિધ મતો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઈઝરાયલ કોઈ પણ સમયે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, ઈરાનના ઘણા પરમાણુ ઠેકાણાઓ નિશાન પર છે. તેમાં નતાંજ, ઈસ્ફહાન, અરાક, ફોરહદો અને બુસ્હર જેવા પરમાણુ ઠેકાણાઓ મુખ્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની કોશિશ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ડીરેલ કરવાની છે. તેના કારણે તે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે.
ઈઝરાયલના આ સંભવિત હુમલાને લઈને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અલર્ટ પર છે. આઈએઈએના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીનું કહેવું છે કે તે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર થનારા સંભવિત હુમલાને લઈને ચિંતિત છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ