:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ઈઝરાયલ ઈરાનના અણુમથકો પર હુમલો કરી શકે: કેબિનેટમાં થઈ પ્રાથમિક ચર્ચા

top-news
  • 16 Apr, 2024

ઈઝરાયલ પર ઈરાનના હવાઈ હુમલા પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાને ઈઝરાયલ પર 300 મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો. તેના પગલે હવે ઈઝરાયલ જવાબી કાર્યવાહી માટે તૈયાર થયું છે અને ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી શકે છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નેતન્યાહૂએ વોર કેબિનેટની બેઠકમાં  ઈરાન પર હુમલાના પ્લાનિંગની ચર્ચા કરી છે.

ઈઝરાયલની વોર કેબિનેટે ઈરાન પર જવાબી હુમલા કરવાનું સમર્થન કર્યું છે. જોકે આ હુમલો ક્યારે થશે અને કેવો થશે, તેને લઈને વિવિધ મતો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઈઝરાયલ કોઈ પણ સમયે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, ઈરાનના ઘણા પરમાણુ ઠેકાણાઓ નિશાન પર છે. તેમાં નતાંજ, ઈસ્ફહાન, અરાક, ફોરહદો અને બુસ્હર જેવા પરમાણુ ઠેકાણાઓ મુખ્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની કોશિશ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ડીરેલ કરવાની છે. તેના કારણે તે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. 

ઈઝરાયલના આ સંભવિત હુમલાને લઈને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અલર્ટ પર છે. આઈએઈએના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીનું કહેવું છે કે તે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર થનારા સંભવિત હુમલાને લઈને ચિંતિત છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎