:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કાર અકસ્માતમાં એક જ પરિવારના 7નાં મોત: રૂ ભરેલી ટ્રકને ટક્કર મારતા આગ ભભૂકી ઉઠી

top-news
  • 15 Apr, 2024

રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં યુપીના મેરઠના એક પરિવારના સાત લોકો જીવતા ભડથું થયા હતા. એક કારે ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ તુરંત કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર અને તેમાં સવાર તમામ લોકો આગના હવાલે થઇ ગયા હતા.

ભીષણ આગના કારણે થોડીવારમાં જ બે માસુમ બાળકો, ત્રણ મહિલાઓ સહિત પરિવારના સાત લોકો જીવતા સળગી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે કોઈ કંઇ ના કરી શક્યું. પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર સાલાસર બાલાજીના દર્શન કરીને મેરઠ પરત ફરી રહ્યો હતો, તે સમયે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં પતિ-પત્ની, બે પુત્રી, માતા અને કાકી સહિત 7 લોકોનો સમાવેશ થાય છે. ઓવરટેક કરતી વખતે કાર ટ્રકની નીચે ઘુસી ગઈ હતી.

એવું કહેવાય છે કે સાલાસર પુલિયા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પૂરપાટ આવતી કાર ટ્રકની નીચે ઘુસી ગઈ હતી. ત્યારે ગેસ પાઈપ ફાટવાને કારણે ગેસકેટના સિલિન્ડરમાં તરત જ આગ લાગી હતી અને થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા કપાસના રોલના કારણે આગ વિકરાળ બની હતી. રાહદારીઓએ પણ તેમને બચાવવાનો કર્યો હતો, પરંતુ ગેટ ખુલ્યો ન હતો અને થોડી જ ક્ષણોમાં આગે સાત લોકોના જીવ લીધા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎