:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડમાં જનસભા સંબોધી: કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી...

top-news
  • 13 Apr, 2024

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ઉત્તરાખંડના રામનગર પીરુમદારામાં જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને અનેક આકરા સવાલ પૂછ્યા હતા. આજે ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની બે જનસભા હતી. તેમાંથી પીરુમદારામાં તેમણે પહેલી જનસભાને સંબોધિત કરી અને ત્યારબાદ તેઓ રુડકીની જનસભા માટે રવાના થઈ ગયા હતા. 
પૌડી ગઢવાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગણેશ ગોડિયાલના પ્રચારને ધાર આપવા માટે પ્રિયંકા ગાંધી પીરુમદારા કિસાન ઈન્ટર કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ક્યાં સુધી કોંગ્રેસ પર દોષ ઠાલવતા રહેશો? છેલ્લા 10 વર્ષોથી કોંગ્રેસનું રાજ નથી. 10 વર્ષથી ભાજપ પૂર્ણ સત્તામાં છે. તેઓ કહે છે કે, 75 વર્ષમાં કંઈ નથી થયું . જો 75 વર્ષમાં કંઈ નથી થયું તો ઉત્તરાખંડમાં આટલી પ્રતિભા ક્યાંથી આવી? દેશમાં IIT, IIM અને AIIMS ક્યાંથી આવ્યા...? જો પંડિત જવાહરલાલ નેહરુએ 1950 બાદ આ સંસ્થાઓ ન બનાવી હોત તો શું આજે આ બધું શક્ય હોત?

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, આજે  દેવભૂમિ ઉત્તરાખંડની બહેનો-ભાઈઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. તમે દેશના કોઈ પણ ખૂણામાં ચાલ્યા જાઓ જનતા એક જ વાત કહી રહી છે કે, બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. વીરભૂમિ ઉત્તરાખંડના જે નૌજવાનો સેનામાં જવાનું સપનું જોતા હતા તેઓ આજે હતાશ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎