:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

સંજય સિંહનો દાવો: અરવિંદ કેજરીવાલ પત્ની સુનિતાને ફેસ ટુ ફેસ ન મળી શક્યા

top-news
  • 13 Apr, 2024

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે તિહાડ જેલ પ્રશાસન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સુનીતા કેજરીવાલને તિહાડ જેલમાં અરવિંદ કેજરીવાલની સાથે સામ-સામે મુલાકાત કરવા દેવામાં આવી નહોતી. જિલ્લા અધિકારીઓએ તેમને બારી દ્વારા કેજરીવાલની સાથે મળવાની પરવાનગી આપી. સંજય સિંહે કહ્યું કે તિહાડ જેલ પ્રશાસન ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે. 

સંજય સિંહે દાવો કર્યો છે કે તિહાડ જેલમાં સામ-સામે મુલાકાત કરવી તે સામાન્ય વાત છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. અહીં તો ખૂનખાર ગુનેગારો પણ પોતાના પરિવાર સાથે બેરકમાં મુલાકાત કરે છે. જ્યારે દિલ્હીના ત્રણ વખતના સીએમને તેમની પત્ની અને પીએ સાથે બારીમાંથી મળવા દેવામાં આવી રહ્યાં છે. આ પ્રકારનો અમાનવીય વ્યવહાર શાં માટે...મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અપમાનિત કરવા માટે આ અમાનવીય કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આજે લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે. 

આપ નેતાએ આરોપ લગાવ્યો કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના એક સાંસદની અરવિંદ કેજરીવાલની સાથે મુલાકાત તિહાડ જેલ પ્રાશાસનને છેલ્લી ઘડીએ રદ કરી હતી. તે પાછળ સુરક્ષાના કારણો કારણભૂત હોવાનું કહેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બારીમાંથી મળી શકશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎