:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ભારત-પેરુ વેપાર કરારનો 7 મો તબક્કો શરૂ: દિલ્હીમાં વાણિજ્ય સચિવ બાર્થવાલે કરી મહામહિમ ટેરેસા સાથે મુલાકાત ..

top-news
  • 12 Apr, 2024

ભારત-પેરુ વેપાર કરાર માટે સાતમા તબક્કાની વાટાઘાટો 8 થી 11 એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ ચર્ચાઓમાં એકબીજાની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને સમજવાનો તથા વાટાઘાટોનાં મૂળમાં પારસ્પરિક સન્માન અને ફાયદો થયા તે સુનિશ્ચિત કરવાનો છે. 

સાતમા રાઉન્ડની વાતચીતની  શરૂઆતમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ સુનિલ બાર્થવાલે જણાવ્યું હતું કે ભારત-પેરુ રાજદ્વારી સંબંધોનો ઇતિહાસ 1960ના દશકાથી શરૂ થયો છે. તેમણે પેરુના વિદેશ વેપારનાં ઉપમંત્રી મહામહિમ ટેરેસા સ્ટેલા મેરા ગોમેઝની ભારતની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો અને 9મી સીઆઈઆઈ ભારત-એલએસી કૉન્ક્લેવ દરમિયાન થયેલી દ્વિપક્ષીય ચર્ચાઓનો વાટાઘાટો ફરી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બાર્થવાલે જણાવ્યું હતું કે વાટાઘાટોનો મૂળભૂત સિદ્ધાંત એકબીજાની શક્તિઓને સમજવાનો અને સંવેદનશીલતાનો આદર કરવાનો હોવો જોઈએ. વાતચીતની  પદ્ધતિઓ હિતધારકોની યોગ્ય પરામર્શમાંથી બહાર આવી શકે છે, ઉદ્યોગ અને વાટાઘાટો કરનારી ટીમો પાસેથી મળેલા પ્રતિભાવો લાભદાયક અને સંશોધનાત્મક અભિગમમાં સામેલ થવું જોઈએ.

વાણિજ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, બે મહિનાની અંદર બે તબક્કાની વાટાઘાટો યોજવી એ પોતે જ બંને દેશો વચ્ચે ઊંડા આર્થિક સહકારની ઇચ્છાનો પુરાવો છે. તેમણે અસરકારક અને ઝડપી વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ભારતમાં પેરુના રાજદૂત એચઇઇ  જેવિયર મેન્યુઅલ પૌલિનિચ વેલાર્ડેએ ઉલ્લેખ કર્યો છે કે તાજેતરની વાટાઘાટોએ નોંધપાત્ર પાયા માટે પાયાનું કામ કર્યું છે અને ભાગીદારીને પ્રોત્સાહન આપવાની દિશામાં વાટાઘાટોના પરિણામો પર વિશ્વાસ દર્શાવ્યો છે.

ભારતનાં વિદેશ મંત્રાલયનાં અધિક સચિવ જી. વી. શ્રીનિવાસે વાટાઘાટોનો સમયગાળો ઘટાડવાનાં વિચારની પ્રશંસા કરી હતી.પેરુના મુખ્ય વાર્તાકાર, ગેરાર્ડો એન્ટોનિયો મેઝા ગ્રિલો, એશિયા, ઓસેનિયા અને આફ્રિકાના ડિરેક્ટર, વિદેશી વેપાર અને પર્યટન મંત્રાલય, રિપબ્લિક ઓફ પેરુએ ઉલ્લેખ કર્યો છે કે 2019 પછી વાટાઘાટો ફરી શરૂ કરવી મહત્ત્વપૂર્ણ છે અને તે બંને પક્ષોની પ્રતિબદ્ધતા અને રસને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાટાઘાટો કરનારી ટીમો પરસ્પર ઉકેલો સુધી પહોંચવા માટે લવચીકતા અને વ્યવહારિકતા દર્શાવી શકે છે.   

વાટાઘાટોના આ રાઉન્ડમાં, વિવિધ પ્રકરણોમાં ચીજવસ્તુઓનો વેપાર, સેવાઓમાં વેપાર, કુદરતી વ્યક્તિઓની અવરજવર, મૂળ નિયમો, સેનિટરી અને ફાયટોસેનિટરી પગલાં, વેપાર માટે ટેકનિકલ અવરોધો, કસ્ટમ પ્રક્રિયાઓ અને વેપાર સુવિધા, પ્રારંભિક જોગવાઈઓ અને સામાન્ય વ્યાખ્યાઓ, કાયદાકીય અને સંસ્થાકીય જોગવાઈઓ, અંતિમ જોગવાઈઓ, વેપાર ઉપાયો, સામાન્ય અને સુરક્ષા અપવાદો, વિવાદના સમાધાન અને સહકાર જેવા પ્રકરણોમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વાતચીતમાં બંને પક્ષના મળીને લગભગ સાઠ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પેરુના પ્રતિનિધિમંડળમાં વિદેશ વેપાર અને પર્યટન મંત્રાલય અને પેરુના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રતિનિધિઓનો સામેલ હતા. ભારતીય પ્રતિનિધિઓમાં વાણિજ્ય વિભાગ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ, મહેસૂલ વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ અને કાનૂની અને આર્થિક સંસાધન વ્યક્તિઓના અધિકારીઓ સામેલ હતા.

આ સમજૂતીના લખાણમાં નોંધપાત્ર સમન્વય રાઉન્ડ દરમિયાન હાંસલ કરવામાં આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચેની આકાંક્ષાઓ અને સંવેદનશીલતા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જૂન, 2024માં અપેક્ષિત આગામી રાઉન્ડ અગાઉ વીસી પર આંતરરાષ્ટ્રિય વાટાઘાટો દ્વારા આગળ વધશે, જેથી બંને પક્ષો ફરીથી બેઠક મળે તે પહેલાં બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયન્ત કરે 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎