:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાડમેરમાં INDIA ગઠબંધન પર PM મોદીએ કર્યા પ્રહારો: પરમાણુ હથિયાર ખત્મ કરીને દેશને શક્તિવિહોણો બનાવવો છે...

top-news
  • 12 Apr, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાડમેર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું અને ઈન્ડિયા ગઠબંધનના ઘોષણાપત્ર પર પણ પ્રહારો કર્યા હતા.  પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના પક્ષો દેશમાંથી પરમાણુ હથિયાર ખત્મ કરવા માંગે  છે. તેમણે કહ્યું કે હું પુછવા માંગું છું કે તમે કોના ઈશારા પર કામ કરી રહ્યાં છો, જે ભારતને શક્તિવિહોણું કરવા માંગે છે તેના ઈશારા પર. અંતે કોના દબાણથી તમારું ગઠબંધન આપણી પરમાણુ તાકાતને ખત્મ કરવા માંગે છે. 

પીએમ મોદીએ શુક્રવારે બીજી ચૂંટણી રેલી રાજસ્થાનના બાડમેરમાં કરી હતી. રાજસ્થાનના બાડમેરમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં વિભાજન માટે જવાબદાર એવી મુસ્લિમ લીગની છાપ છે. વધુ એક પાર્ટી જે ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે, તેણે તેના ઘોષણાપત્રમાં દેશની વિરુદ્ધ ખતરનાક ઘોષણા કરી છે કે તે ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેશે. જ્યારે આપણા બે પાડોશી પરમાણુ હથિયારોથી સજ્જ છે, તેવા સંજોગોમાં શું આપણે આપણા પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેવા જોઈએ? આ એવું ગઠબંધન છે, જે ભારતને શક્તિહીન બનાવવા માંગે છે. 

પીએમ મોદીએ જનસભામાં સવાલ કરતા કહ્યું  કે તમારા સાથીઓ અંતે કોના ઈશારા પર કામ કરી રહ્યાં છે. આ કેવું ગઠબંધન છે. તેમણે મંચ પરથી કહ્યું કે દેશમાં રામ મંદિર નિર્માણનું સારું કામ થઈ રહ્યું છે, કોંગ્રેસ તેનો પણ બાહિષ્કાર કરી રહી છે. કોંગ્રેસ રામનવમીની શોભયાત્રા પર રાજસ્થાનમાં પથ્થરબાજી કરનારા તોફાનીઓને સંરક્ષણ આપે છે. દેશમાં ઘુસણખોરો આવે છે તો કોંગ્રેસ તેમનું સ્વાગત કરે છે. જોકે ભારત વિભાજનનો વિરોધ કરનારા આપણા દલિત અને શીખ ભાઈ બહેનોને નાગરિકતા આપનારા CAAનો તેઓ વિરોધ કરી રહ્યાં છે.  

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎