:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દલાઈ લામા અંગે ચીને લગાવ્યો આ પ્રતિબંધ: તિબેટના મઠોને આપી આ સુચના

top-news
  • 12 Apr, 2024

ચીને ભારતમાં આશ્રય લઈ રહેલા તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા અંગે તિબેટના વિવિધ મઠોમાં એક વાંધાજનક બુકલેટનું વિતરણ શરૂ કર્યું છે. ચીને તેમાં આદેશ કર્યો છે કે દલાઈ લામાના મોત પછી કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ તિબેટના મઠોમાં કરવામાં ન આવે. તિબેટના મઠોમાં જે બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં 10 નિયમોનો ઉલ્લેખ છે. આ પૈકીનો એક નિયમ એવું કહે છે કે દલાઈ લામાંનું મોત થાય તે પછી કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓની તસવીરો શેર નહીં કરી શકે.

 આમ બૂલકેટથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે, ચીન દલાઈ લામાનુ મોત બહુ જલ્દી થશે તેમ માની રહ્યુ છે. ચીન તિબેટમાં હાલના દલાઈ લામાના પ્રભાવને ઓછો કરવા માટે ધમપછાડા કરી રહ્યું છે. અત્યારના દલાઈ લામા ભારતના ધર્મશાળામાં રહે છે.  તિબેટના ઇતિહાસમાં તે સૌથી લાંબો સમય આ પદ પર રહેનાર બૌદ્ધ ધર્મ ગુરુ છે. 

1951થી ચીને તિબેટ પર કબજો કરી લીધો હતો. ચીનના અધિકારીઓનો દાવો છે કે ચીનની સરકાર જ પોતાના દેશના કાયદા પ્રમાણે તિબેટના લોકોના ઉત્તર અધિકારી તેમજ નવા આધ્યાત્મિક નેતાની પસંદગી કરશે. જે દલાઈ લામા તરીકે ઓળખાય છે. તેનાથી વિપરીત તિબેટના લોકોનું માનવું છે કે લામાં પોતે જ પૂર્ણ જન્મ લેવા માટે કોઈના પણ શરીરની પસંદગી કરતા હોય છે. આ પરંપરા 1391 થી ચાલતી આવી છે અને 13 વખત આ રીતે દલાઈ લામાની વરણી થઈ ચૂકી છે. 

અત્યારના દલાઈ લામા પણ ભારપૂર્વક કહી રહ્યા છે કે સદીઓ જૂની પરંપરા પ્રમાણે આગામી દલાઈ લામાની પસંદગી થશે. જેને લઈને ચીન અને તિબેટના લોકો વચ્ચે ગજગ્રાહ યથાવત છે. આ સંજોગોમાં ચીન તિબેટમાં પોતાની મનમાની ચલાવવા માંગે છે તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎