:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

PM મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થશે વિધાનસભા ચૂંટણી: રાજ્યનો દરજ્જો પણ મળશે

top-news
  • 12 Apr, 2024

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે સાત દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આજે વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં એક રેલીને સંબોધિત કરીને બે મોટી જાહેરાતો કરી હતી. મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વડાપ્રધાનની આ જાહેરાત એટલા માટે પણ ખૂબ મહત્વની છે કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સહિત તમામ રાજકીય પક્ષો કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે.

પોતાના સંબોધનમાં આગળ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનને દેશના મોટાભાગના લોકોની પરવા નથી. વડાપ્રધાને નોન-વેજ ફૂડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'નવરાત્રિ દરમિયાન નોન-વેજ ફૂડનો વીડિયો બતાવીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તેઓ (વિપક્ષ) કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આજે જ્યારે હું બોલી રહ્યો છું, ત્યારપછી આ લોકો મારા પર અપશબ્દોનો મારો ચલાવશે. પરંતુ જ્યારે વસ્તુઓ અસહ્ય બની જાય છે, ત્યારે લોકશાહીમાં મારી જવાબદારી છે કે હું દેશને દરેક વસ્તુની સાચી બાજુ જણાવું. આ લોકો જાણી જોઈને આવું કરે છે, જેથી આ દેશની માન્યતાઓ પર પ્રહાર થાય. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ જ મેદાનમાં 10 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે તમારે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ. હું દાયકાઓ જૂના મુદ્દાઓ ઉકેલીશ. મેં મહિલાઓના સન્માન અને ગરિમાનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. લોકોને આગામી 5 વર્ષ સુધી મફત રાશન મળશે, જમ્મુ-કાશ્મીરના લોકોને આયુષ્માન મેડિકલ વીમા કવર મળી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ કનેક્ટિવિટી દૂરના વિસ્તારોમાં વિસ્તારવામાં આવી છે. મોદીની ગેરંટી એટલે પરિપૂર્ણતાની ગેરંટી. આ સિવાય શાહપુર કાંડી ડેમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જે દાયકાઓથી અટવાયેલો હતો તે અમારી સરકારે પૂર્ણ કર્યો છે. રાવીનું પાણી જે પાકિસ્તાન તરફ વહેતું હતું તે હવે બંધ થઈ જશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎