:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે: આપ નેતાનો મોટો દાવો

top-news
  • 12 Apr, 2024

દિલ્હીની સત્તા સંભાળી રહેલી આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી પર એક નવો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારની વિરુદ્ધ ખૂબ જ મોટું રાજકીય ષડયંત્ર બનાવવાનો  પ્લાન બની રહ્યો છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું ષડયંત્ર બની રહ્યું છે. આતિશીએ ઉપરાજ્યપાલ દ્વારા ગૃહમંત્રાલયને લખેલા પત્ર પર પણ વાંધો વ્યક્ત કર્યો છે. 

આતિશીએ શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું ક અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવશે આતિશીએ ઉપરાજ્યપાલ દ્વારા એમએચએને લખવામાં આવેલા પત્ર પર પણ વાંધો વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે એક જૂના કેસને ઉઠાવીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલની સરકારને પાડી દેવાનું મોટું ષડયંત્ર બની રહ્યું છે. અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવીને BJP શાસિત કેન્દ્ર અને ઈડીએ તેમની ધરપકડ કરી છે. બીજેપીવાળા દિલ્હીમાં ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે ચૂંટાયેલી કેજરીવાલ સરકારને પાડવા માંગે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎