:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

કેરળના બીજેપી ચીફ વિવાદમાં: જીતશે તો ગામનું નામ સુલથાન બેથરેમાંથી ગણપથ્થી વટ્ટમ કરશે

top-news
  • 11 Apr, 2024

કેરળના બીજેપી ચીફ કે સુંદરને આજે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. સુંદરન લોકસભાની ચૂંટણી વાયનાડથી લડવાના છે ત્યારે તેમણે વાયનાડના એક ગામ જેનું નામ હાલ સુલથાન બેથરે છે, તેને બદલીને ગણપથ્થી વટ્ટમ કરવાની વાત કહી છે. જોકે તેમણે કહ્યું છે કે આ વાત તો જ શક્ય બનશે જો તેઓ ચૂંટણી જીતશે. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે સુલથાન બેથરે ગામ મૈસુરના શાસક ટીપુ સુલતાન સાથે સંકળાયેલું છે.

સુંદરને દાવો કર્યો છે કે કેરળમાં ખાસ કરીને વાયનાડમાં ટીપુ સુલતાને લાખો હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યું હતું. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે અગાઉ લોકો આ  ગામને ગનપતિ વટ્ટમ કહેતા હતા. કોંગ્રેસ અને એલડીએફ હજી પણ ટીપુ સુલતાન સાથે જ છે. ટીપુ સુલતાને કેરળના ઘણા મંદિરો પર  હુમલાઓ કર્યા હતા અને ઘણા હિન્દુઓનું ધર્માંતરણ કર્યું હતું. આ ધર્માંતરણ વાયનાડ અને માલાબાર વિસ્તારમાં થયું હતું.

સુંદરને વધુમાં કહ્યું હતું કે બીજેપી હમેશાંથી ટીપુ સુલતાનનો વિરોધ કરતી આવી છે. અગાઉ બીજેપીએ કર્ણાટકમાં ટીપું જયંત્તિની ઉજવણીનો  પણ વિરોધ કર્યો હતો. સુંદરનની આ ટિપ્પણીનો વિરોધ કરતા ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લેગ્યુ જનરલ સેક્રેટરી પી કે કુનાહલકુટ્ટીએ જણાવ્યું હતું કે આ પ્રકારનું કઈ કેરળમાં બન્યું જ નહોતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎