કેરળના બીજેપી ચીફ વિવાદમાં: જીતશે તો ગામનું નામ સુલથાન બેથરેમાંથી ગણપથ્થી વટ્ટમ કરશે
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11042024_115942_Suderan 11.jpg)
- 11 Apr, 2024
કેરળના બીજેપી ચીફ કે સુંદરને આજે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. સુંદરન લોકસભાની ચૂંટણી વાયનાડથી લડવાના છે ત્યારે તેમણે વાયનાડના એક ગામ જેનું નામ હાલ સુલથાન બેથરે છે, તેને બદલીને ગણપથ્થી વટ્ટમ કરવાની વાત કહી છે. જોકે તેમણે કહ્યું છે કે આ વાત તો જ શક્ય બનશે જો તેઓ ચૂંટણી જીતશે. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે સુલથાન બેથરે ગામ મૈસુરના શાસક ટીપુ સુલતાન સાથે સંકળાયેલું છે.
સુંદરને દાવો કર્યો છે કે કેરળમાં ખાસ કરીને વાયનાડમાં ટીપુ સુલતાને લાખો હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યું હતું. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે અગાઉ લોકો આ ગામને ગનપતિ વટ્ટમ કહેતા હતા. કોંગ્રેસ અને એલડીએફ હજી પણ ટીપુ સુલતાન સાથે જ છે. ટીપુ સુલતાને કેરળના ઘણા મંદિરો પર હુમલાઓ કર્યા હતા અને ઘણા હિન્દુઓનું ધર્માંતરણ કર્યું હતું. આ ધર્માંતરણ વાયનાડ અને માલાબાર વિસ્તારમાં થયું હતું.
સુંદરને વધુમાં કહ્યું હતું કે બીજેપી હમેશાંથી ટીપુ સુલતાનનો વિરોધ કરતી આવી છે. અગાઉ બીજેપીએ કર્ણાટકમાં ટીપું જયંત્તિની ઉજવણીનો પણ વિરોધ કર્યો હતો. સુંદરનની આ ટિપ્પણીનો વિરોધ કરતા ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લેગ્યુ જનરલ સેક્રેટરી પી કે કુનાહલકુટ્ટીએ જણાવ્યું હતું કે આ પ્રકારનું કઈ કેરળમાં બન્યું જ નહોતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ