ઈદના કારણે કરાંચીના રસ્તાઓ પર ચાર લાખ ભીખારીઓ ઉતરી આવ્યા: સત્તાધીશો હેરાન
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11042024_090542_Pakistan 22.jpeg)
- 11 Apr, 2024
આજે પાકિસ્તાનમાં પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે કરાચી શહેરના સત્તાધીશોને એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇદના તહેવારના પગલે કરાચીમાં હજારો ભીખારીઓએ ધામા નાખ્યા છે. જેના કારણે શહેરના બજારોથી માડી મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ શોપિંગ અને ધાર્મિક સ્થળોની બહાર મોટી સંખ્યામાં ભીખારીઓ નજરે પડી રહ્યાં છે.
કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઇમરાન મિન્હાસનાએ કહ્યું છે કે લગભગ ત્રણથી ચાર લાખ ભીખારીઓ ઇદના તહેવાર નિમિત્તે લોકો પાસેથી પૈસા મેળવવા માટે કરાચી શહેરમાં ઉતરી આવ્યા છે. તેમનું કહેવું છે કે ભીખારીઓ અને ગુનેગારો કરાચી શહેરને એક મોટા માર્કેટ તરીકે જુએ છે. કરાચીમાં સિંધ બલુચિસ્તાન તેમજ દેશના બીજા હિસ્સામાંથી ભીખારીઓ આવતા હોય છે. ખાસ કરીને રમઝાનમાં તેમની સંખ્યા વધી જાય છે.
મિન્હાસે આગળ કહ્યું હતું કે બની શકે છે કે ભીખારીના વેશમાં ગુનેગારો પણ શહેરમાં છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય. જોકે અત્યારના સંજોગોમાં તેમને શોધવા અઘરા છે અને એના માટે વધારે સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે.
કરાચી શહેર ગુનાખોરીથી પણ પરેશાન છે. રમજાનના મહિનામાં કરાચીમાં 6780 અપરાધની ઘટનાઓ બની છે. જેમાં 20 વાહનોની લૂંટ અને 130 ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે પણ જાહેરમાં હજારો મારામારીના બનાવો બન્યા હતા. અલગ અલગ પ્રકારના અપરાધોમાં 100 થી વધારે લોકોના મોત થયા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ