:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે પાર્ટી છોડી: ભષ્ટ્રાચારને લઈને AAP પર કર્યા પ્રહારો

top-news
  • 10 Apr, 2024

દિલ્હીની સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી સતત વધી રહી છે. આજે પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની સાથે-સાથે પાર્ટી પર ભષ્ટ્રાચારને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ અંગે વધુમાં કહ્યું છે કે ભષ્ટ્રાચારને લઈને પાર્ટીની જે નીતીઓ છે, તેની સાથે તેઓ સહમત નથી.

ઈડીએ સીએમ કેજરીવાલને જ્યારે અગાઉ વર્ષ 2023માં દારૂ કોભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, તે પહેલા જ ઈડીએ મંત્રી રાજકુમાર આનંદના નિવાસસ્થાને રેડ કરી હતી. ઈડીએ તેમના સિવિલ લાઈન્સ સહિતના અધિકારિક નિવાસસ્થાને રેડ કરવા ઉપરાંત અન્ય 9 જગ્યાએ રેડ કરી હતી. ઈડીની ટીમે રાજકુમાર આનંદના બિઝનેસ સાથે જોડાયેલા મામલા અંગે આ રેડ કરી હતી. રાજકુમાર આનંદ પર હવાલાની લેવડ-દેવડમાં સામેલ થવાનો પણ શંક હતો.

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પ્રથમ વખત પટેલ નગર સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીના આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની જગ્યાએ રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎