:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાજ ઠાકરે NDAમાં જોડાયા : જોકે લોકસભા ચુંટણી નહીં લડે ...

top-news
  • 10 Apr, 2024

લોકસભા ચૂંટણી-2024ના વાતાવરણમાં મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (મનસે )પ્રમુખ રાજ ઠાકરે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચામાં છે. પહેલા તેમણે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપ નેતા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.  બાદમાં તેઓ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુંબઈની એક હોટલમાં મળ્યા હતા. 

અમિત શાહ,  એકનાથ શિંદે અને  દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ MNS પ્રમુખ રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણી અંગે મોટી જાહેરાત કરી છે. મુંબઈમાં શિવાજી પાર્કમાં MNSની ગુડી પડવા ઉત્સવની જનસભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ‘ભાજપ-શિવસેના-એનસીપી’ના મહાગઠબંધનને બિનશરતી સમર્થન આપી રહી છે. આ સમર્થન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA  ગઠબંધન માટે છે. હવે બધાએ ચૂંટણીની તૈયારી કરવી જોઈએ”

રાજ ઠાકરેએ NDA ગઠબંધનમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સાથે આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી કે આ લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ચૂંટણી નહીં લડે. ભાજપ પહેલાથી જ ઈચ્છતું હતું કે રાજ ઠાકરે આ મહાગઠબંધનનો ભાગ બને અને પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન આપે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎