શક્તિનો ઉલ્લેખ કરી વિપક્ષો પર મોદીના પ્રહારો: પીલીભીતમાં સંબોધન
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09042024_074748_Modi 1.jpeg)
- 09 Apr, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીલીભીતની એક રેલી દરમિયાન વિપક્ષ પર ખાસ કરીને કોંગ્રેસ અને સપા પર આકરા પ્રહારો કર્યા હતા. નવરાત્રિના પ્રથમ દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શક્તિના અપમાનનો મામલો ઉઠાવ્યો છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રામમંદિર ગયેલા લોકોને વિપક્ષે પક્ષમાંથી કાઢી નાંખ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પીલીભીતમાં મા યશવંતીના આર્શીવાદ છે. આદિ ગંગા ગોમતીનું ઉદગમ સ્થળ પણ આ જ છે. આ પ્રસંગે દેશને યાદ કરાવવા માંગું છું કે ઈડી ગંઠબંધને શક્તિને ખત્મ કરવાના કસમ લીધા છે. કોંગ્રેસે શક્તિનું અપમાન કર્યું છે. જે શક્તિની સામે આપણે માથુ ટેકવીએ છીએ, તેને તે ઉખાડી નાંખવાની વાત કરે છે. શક્તિનો કોઈ પણ ઉપાસક તેને માંફ નહીં કરે.
તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકારે કરી બતાવ્યું કે ભારત કોઈનાથી ઓછું નથી. જ્યારે દાનત સારી હોય છે, ત્યારે પરિણામ પણ સારું મળે છે. આજે આપણે ચારે તરફ વિકસિત ભારતનું નિર્માણ થતું જોઈ રહ્યાં છે. કેટલીક જગ્યાએ ચાર, છ અને આઠ લેનના હાઈવે બની રહ્યાં છે. કેટલીક જગ્યાએ વંદે ભારત અને અમૃત ભારત જેવી આધુનિક ટ્રેન ચાલી રહી છે. જૂની સરકારના કાર્યકાળમાં જે ફેકટરીઓ બંધ થઈ ગઈ હતી, તેને પણ નવી ઉર્જા મળી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ