:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

પોલીસ એન્કાઉન્ટરમાં શૂટર ઠાર : બાબા તરસેમસિંહની કરી હતી હત્યા..

top-news
  • 09 Apr, 2024

ઉતરખંડના બહુ ચર્ચિત બાબા તરસેમ સિંહ હત્યાકાંડનો મુખ્ય આરોપી શૂટર અમરજીત હરિદ્વારના ભગવાનપુર વિસ્તારમાં ઉત્તરાખંડ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સાથે અથડામણમાં ઠાર મરાયો છે. ઉત્તરાખંડના DGPએ આ વાતની પૃષ્ટી કરી છે. બનાવની વિગત મુજબ નાનકમત્તા ગુરુદ્વારાના કારસેવા પ્રમુખ બાબા તરસેમ સિંહની 28 માર્ચે ઉદ્યમ સિંહ નગરમાં અજાણ્યા બાઇક સવાર દ્વારા હુમલો કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉત્તરાખંડના DGP અભિનવ કુમારે જણાવ્યું કે એક લાખ રૂપિયાના ઇનામી શૂટર અમરજીત સિંહ ઉર્ફ બિટ્ટુ ઉત્તરાખંડ એસટીએફ સાથે થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે જ્યારે તેનો સાથી ફરાર થઇ ગયો હતો. ડીજીપીએ કહ્યું કે ઉત્તરાખંડ એસટીએફ અને હરિદ્વાર પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે જણાવ્યું કે અમરજીત સિંહ પર 16થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

આ પહેલા રવિવારે ઉદ્યમ સિંહ નગરના એસએસપીએ બન્ને ફરાર શૂટરો અમરજીત સિંહ અને સરબજીત સિંહ પર ઇનામી રકમ 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરી દીધી હતી. પોલીસ દ્વારા આ હત્યાકાંડ મામલે અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તે કથિત રીતે ગુનેગારોને ભેગા કરવા, સંસાધન ઉપલબ્ધ કરાવી અને હથિયારો પુરા પાડીને ક્રાઇમ કરવામાં સામેલ હતા.

DGPએ કહ્યું હતું કે બાબા તરસેમ સિંહની હત્યાને ઉત્તરાખંડ પોલીસે પડકારના રૂપમાં લીધી છે અને બન્ને હત્યારાઓને શોધવાનો પ્રયાસ સતત એસટીએફ અને પોલીસ કરી રહી છે. ડીજીપીએ કહ્યું કે જો ગુનેગાર ઉત્તરાખંડમાં આ રીતે ગુના કરશે તો પોલીસ તેમની સામે કડકાઇથી પગલા ભરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎